જય ગણેશના પ્રચંડ નાદ સાથે નારગોલ શિવકથામાં ગણેશપ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો
Ganesh Pragatya Utsav celebrated at Nargol Shiv Mahapuran Katha, Umargam
ઉમરગામ : ભંડારી સમાજ નારગોલ દ્વારા ભોજનાલયના લાભાર્થે આયોજિત જગદંબાધામ નારગોલમાં વિશ્વ વિખ્યાત સમર્થ કથાકાર શ્રી પ્રફુલભાઇ શુક્લની શિવમહાપુરાણ કથામાં આજે ગણેશ પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
પાંચમા દિવસનો દશાંશ યજ્ઞ સંપન્ન થયા બાદ ભાગ્યશાળી મનોરથી યજમાનો દ્વારા પાર્થિવ શિવલિંગનુ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતુ. ગણેશ પ્રાગટ્યની કથા કરતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે માણસ સુવે પોતાની મરજીથી જયારે ઉઠે છે ભગવાન શિવજીની મરજી થી, શિવનામ ભજવાથી જીવનમા કરેલું સત્કાર્ય અકબંધ રહે છે, એકાદશી, સોમવાર અને શ્રાવણ માસનો ત્રિવેણી સંગમ જગદંબા ધામ નારગોલમા થયો છે.
સંસારમા મનુષ્યને કેવલ ભ્રમ જ સતાવે છે, માયાના આવરણમા જીવતો જીવ સત્યને પામી શકતો નથી, મુન સુધી ગયો માણસ પણ એક ઘરમા એક બીજાના મન સુધી ના જઈ શક્યો, હરીના સ્મરણમા હર (મહાદેવ) ડૂબેલા રહે છે જયારે હરના સ્મરણમા હરી (વિષ્ણુ) ડૂબ્યા રહે છે. આ સંસારમા દુઃખી થવાનુ સૌથી મોટુ કારણ ગેરસમજ છે.
“આ સંસારમાં દુઃખી થવાનું સૌથી મોટું કારણ ગેરસમજ છે.” – કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ
શિવ યતીનભાઈ ભંડારી ભગવાન ગણેશ અને કાર્તિકે પ્રિયાંસ ઓજસ પટેલ બનીને પધાર્યા હતા.
આ પ્રસંગે ઉમેશભાઈ પટેલ ગોવાડા, કલગામ સરપંચ રોહિતભાઈ હળપતી, પિલાબેન પરસોત્તમ ભંડારી નિવૃત્ત આચાર્ય દેહરી, તુષારભાઈ પટેલ ઉધોગપતિ (આર્યા એનર્જી), રાજેશ રતનજી પટેલ આરઆર કન્સ્ટ્રક્શન નારગોલ, અશ્વિનભાઇ કોન્ટ્રાકટર, શશીકાંત પટેલ ફણસા દ્વારા ભગવાન ગણેશનુ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતુ.
ભૂદેવો દ્વારા ગણેશ સ્તોત્રનો પાઠ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા. હાથમાં પુષ્પ લઇને ભગવાન ગણેશના આગમનના વધામણાં લીધા હતા. ગંધર્વ વૃંદ દ્વારા શિવ આરાધના કરવામાં આવી હતી.
આજે કથામા ઉમરગામના ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી, ગણેશભાઈ બારી, માછી સમાજ નારગોલના આગેવાનો શૈલેષ હોડીવાલા, નરેન્દ્ર માછી, ઉપેન્દ્ર ટંડેલ, દામુભાઈ, મનોજભાઈ માછી, રાજાભાઈ ભરવાડ ઉમરગામ, જયશ્રીબેન યોગેશભાઈ શુક્લ, ઉમેશભાઈ પટેલ ગોવાડા, કલગામ સરપંચ રોહિતભાઈ હળપતી, પિલાબેન પરસોત્તમ ભંડારી દેહરી, જશુંભાઈ માહ્યાવંશી આહુ, મહિલા મંડળ દહાણુ, મહિલા મંડળ દહેરી, શશીકાંત પટેલ ફણસા, ડો. પ્રમોદભાઈ પટેલ, નયનાબેન કોટવાલ, ચેતનભાઈ ગજરે, મયુરીબેન બારી મેહમાનો પધાર્યા હતા જેમનું સ્વાગત યતીનભાઈ ભંડારી, સ્વીટીબેન ભંડારી અને શિવમહાપુરાણ કથા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતુ.
ફોટો ગેલેરી
Related Stories · સંબંધિત સમાચાર
રાજ્યમાં પ્રી-મોન્સૂન ઝાપટાં: 48 કલાકમાં 112 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે.
Read moreનવી શિક્ષણ નીતિ હેઠળ રાજ્યની શાળાઓમાં આગામી સત્રથી મોટો ફેરફાર
અભ્યાસક્રમમાં કૌશલ્ય અને ટેકનોલોજી પર ભાર મુકાશે, શિક્ષકોની તાલીમ શરૂ.
Read more


