પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એઆઈથી સજ્જ નવસારીના નમો કમલમનું લોકાર્પણ કરાશે
PM Modi to inaugurate AI-equipped Namo Kamalam office in Navsari
{"નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8મી સપ્ટેમ્બરે નવસારીની મુલાકાતે આવનાર છે. તેઓ નેશનલ હાઇવે નં. 48 પર ગ્રીડ નજીક નિર્માણ પામેલા નવસારી જિલ્લા ભાજપના અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કરશે. આ નામો કમલમ આશરે 40 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં રૂ.10 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યાલયનું બાંધકામ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં પોણા બે વર્ષનો સમય લાગ્યો છે. કોર્પોરેટ શૈલીમાં તૈયાર કરાયેલા આ કાર્યાલયમાં એઆઈ ટેકનોલોજી, હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, આધુનિક કોન્ફરન્સ હોલ સહિતની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.","નવસારી શહેરમાં આવેલું જૂનું ભાજપ કાર્યાલય સમય જતાં સંગઠનના વિસ્તરણ અને કાર્યકરોની વધતી સંખ્યાને કારણે નાનું પડવા લાગ્યું હતું. કાર્યકરોની અવરજવર અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને હાઈવે નજીક વિશાળ જગ્યા પસંદ કરી નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. ‘નમો કમલમ’માં ડિજિટલ કામગીરીને ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ તથા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત સેંકડો કાર્યકરો એકસાથે બેસી શકે તેવું વિશાળ ઓડિટોરિયમ અને મહત્વપૂર્ણ બેઠકો માટે આધુનિક કોન્ફરન્સ હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષના પદાધિકારીઓ અને બહારથી આવતા નેતાઓ માટે અલગ કેબિનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમગ્ર કાર્યાલયને આધુનિક કોર્પોરેટ ઓફિસની તર્જ પર તૈયાર કરવામાં આવ્યું છે.","વડાપ્રધાન મોદી દ્વારા જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ થવાનું હોવાથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમમાં ગુજરાતના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે."}
Related Stories · સંબંધિત સમાચાર
જય ગણેશના પ્રચંડ નાદ સાથે નારગોલ શિવકથામાં ગણેશપ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો
નારગોલના જગદંબાધામ ખાતે આયોજિત શિવમહાપુરાણ કથાના પાંચમા દિવસે ગણેશ પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન ગણેશના વધામણાં લીધા હતા.
Read more

