મોંઘવારીથી બચાવવા અને નશાયુકત પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પ્રતિબંધ મુકવા માંગ
નવસારી શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન કરી કલેકટર અને એસ.પી. આવેદનપત્ર પાઠવ્યું
નવસારી : ખાંડ, પેટ્રોલ-ડીઝલ સહીત શાકભાજીના વધતા ભાવો સામે તેમજ નશાયુકત પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પ્રતિબંધ મુકવાની માંગ કરી નવસારી શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન કરી જીલ્લા કલેકટર અને એસ.પી. ને અલગ-અલગ આવેદનપત્ર પાઠવ્યું છે.
જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર વધતા ભાવો અને નશાયુકત પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પ્રતિબંધ મુકવાની માંગ સાથે આજે નવસારી શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિએ લુન્સીકુઈ ખાતે વિરોધ પ્રદર્શન કરી જીલ્લા કલેકટર અને એસ.પી. ને અલગ-અલગ આવેદનપત્ર પાઠવ્યા છે.
કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં શું જણાવાયું
કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના દીકરાઓની ફેકટરીમાં ઇથેનોલ બનાવવા માટે બજારમાંથી પુષ્કળ પ્રમાણમાં શેરડીનો ઉપયોગ થઇ રહ્યો હોવાના આક્ષેપો કર્યા છે. જેથી ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટ્યું છે. જેને કરને પુરવઠો ઘટતા સ્થાનિક બજારોમાં ગોળ અને ખાંડના ભાવમાં કમરતોડ વધારો થયો છે. જેનો ભોગ મધ્યમ ગરીબ અને સામાન્ય લોકો બની રહ્યા છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે, ગરીબની કસ્તુરી સમાન કાંદા, દૂધ, શાકભાજી, પેટ્રોલ-ડીઝલ સહિતની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંઘી થઇ છે. તેમજ મોંઘવારીમાં પીડાતા લોકોને રોજગારી પણ મળતી નથી. જેથી તમામ મુદ્દે નિષ્ફળ રહેલી વર્તમાન સરકાર વહેલી તકે રાજીનામું આપે તેવી માંગ કોંગ્રેસ સમિતિએ કરી છે.
એસ.પી.ને પાઠવેલા આવેદનપત્રમાં શું જણાવાયું
એસ.પી. ને પાઠવેલા આવેદનપત્રમાં કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં હાલના સમયમાં નવસારી પંથકની અંદર બેફામ અને ગેરકાયદેસર રીતે દેશી-વિદેશી દારૂ તેમજ નશીલા પદાર્થોનું વેચાણ થઇ રહ્યું છે.
આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે, હાલમાં જ ભાવનગર ખાતે બનેલો લઠ્ઠાકાંડ તાજો અને અત્યંત ગંભીર દાખલો છે. આવી કોઈ ગંભીર અને જીવલેણ ઘટનાનું પુનરાવર્તન નવસારીમાં ન થાય તેની કાળજી અત્યંત જરૂરી છે.
કોંગ્રેસ સમિતિએ આવેદનપત્રમાં ચિંતા વ્યક્ત કરી હતી કે, હાલમાં દારૂ, ગાંજો, ડ્રગ્સ, અફીણ અને અન્ય નાર્કોટીક્સ જેવા જીવલેણ નશાના રવાડે ચડીને નવસારીની યુવા પેઢી બરબાદીના પંથે જઈ રહી છે. જે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે. જેથી નવસારીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા અસામાજિક તત્વો સામે અગમચેતીના તમામ પગલા લઈ નવસારીને નશામુક્ત બનાવવાની માંગ કરી છે.
Related Stories · સંબંધિત સમાચાર
ધોલાઈ બંદરે નાળિયેરી પૂનમની ઉજવણી કરી 1200થી વધુ બોટ નવી સીઝન માટે રવાના થશે
ધોલાઈ બંદરે નાળિયેરી પૂનમની પરંપરાગત ઉજવણી સાથે માછીમારોએ દરિયાદેવનું પૂજન કરી નવી માછીમારી સીઝનમાં સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
Read moreસોમનાથ તળાવની ફરતે મુકવામાં આવેલી બ્યુટીફીકેશન લાઈટ ચાલુ કરવા માંગ
બીલીમોરા નગરપાલિકાના સભ્યએ સોમનાથ તળાવની ફરતે મુકવામાં આવેલી અને છેલ્લા બે મહિનાથી બંધ બ્યુટીફીકેશન લાઈટ ચાલુ કરવા ચીફ ઓફિસરને રજૂઆત કરી.
Read moreબીલીમોરામાં સમાજના રક્ષકોને રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઈ
રક્ષાબંધન પર્વે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવા કાર્યકરોએ પોલીસ, ફાયર અને આરોગ્ય કર્મચારીઓને રક્ષા સૂત્ર બાંધી તેમની સેવાભાવનાનું સન્માન કર્યું.
Read moreનવસારીમાં ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધન તહેવારની ઉજવણી કરાઈ
નવસારીમાં રક્ષાબંધનના પાવન પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી દીર્ઘાયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરી હતી.
Read more



