નવસારીમાં જર્જરિત-ખંડેર મિલકતોનો બાકી વેરો 10 દિવસમાં ભરવા મનપાની સૂચના
નવસારીમાં જર્જરિત-ખંડેર મિલકતોનો બાકી વેરો 10 દિવસમાં ભરવા મનપાની સૂચના
નિયત સમયમર્યાદામાં વેરો નહીં ભરાય તો મિલકતની આકારણી રદ અને વધારાનો વેરો લાદવાની કાર્યવાહી
નવસારી : નવસારીમાં આવેલી જર્જરિત અને બિન-ઉપયોગી મિલકતોના બાકી વેરાની વસૂલાત અંગે નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગે કડક વલણ અપનાવ્યું છે. મનપા દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે સંબંધિત મિલકતધારકોએ આગામી 10 દિવસમાં બાકી મિલકત વેરો ભરપાઈ કરવો પડશે.
નવસારી મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. 1થી 13માં આવેલી જર્જરિત, ખંડેર બની ગયેલી અથવા ઉપયોગમાં ન હોય તેવી મિલકતોના માલિકોને મનપાના નિયમો અનુસાર બાકી રહેલો મિલકત વેરો તાત્કાલિક ભરવા જણાવાયું છે.
જો નિયત સમયમર્યાદામાં વેરાની ભરપાઈ કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા લાગુ પડતા નિયમો અને જોગવાઈઓ મુજબ સંબંધિત મિલકતની આકારણી રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જરૂર જણાય તો મિલકત પર વધારાના વેરાનો બોજો લાદવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ ઉપરાંત બાકી રહેલી વેરાની રકમની વસૂલાત માટે મનપાના નિયમો અનુસાર અન્ય જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી ટાળવા માટે સંબંધિત મિલકતધારકોને નિર્ધારિત સમયમર્યાદામાં બાકી મિલકત વેરો ભરવા નવસારી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
નવસારીની નગર પ્રાથમિક કન્યાશાળા નં. 6માં મટકીફોડનો કાર્યક્રમ યોજાયો
શ્રીકૃષ્ણના જીવન આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, વિજેતા બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા નવસારી : નવસારીની નગર પ્રાથમિક કન્યાશાળા નંબર 6માં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત વિવિધ સ્પર્ધાઓ તથા મટકીફોડના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે મટકી શણગાર સ્પર્ધા તેમજ શ્રીકૃષ્ણના જીવન આધારિત પ્રશ્નોત્તરી…
વધુ વાંચોડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલો આરોપી બેંગ્લોરથી ઝડપાયો
વૃદ્ધને એક મહિના સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી ₹39.80 લાખ પડાવ્યાનો કેસ, નવસારી સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી નવસારી : નવસારી સાયબર ક્રાઈમ પોલીસે બાતમી અને ટેકનિકલ તપાસના આધારે ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને બેંગ્લોરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારીના એક વૃદ્ધને સાયબર ઠગોએ અલગ-અલગ વોટ્સએપ નંબર પરથી ફોન કરી દિલ્હી…
વધુ વાંચોટોકન લીધા વિના માછીમારી કરવા ગયેલા 3 ખલાસી મળી આવ્યા
ધોલાઈ મરીન પોલીસે બોટ માલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી નવસારી : ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારી માટે દરિયામાં જવા ઇસ્યુ કરવામાં આવતા ટોકન લીધા વિના માછીમારી કરવા ગયેલા 3 ખલાસી મળી આવતા ધોલાઈ મરીન પોલીસે બોટ માલિક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, કેટલાક માછીમારો બોટમાં ઓનલાઈન ટોકનમાં નોંધ…
વધુ વાંચોનવસારીમાં વડાપ્રધાનના આગમનને પગલે જલાલપોર ધારાસભ્યએ સ્થળ મુલાકાત લીધી
નમો કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન અને સભા સ્થળની તૈયારીઓની આર.સી. પટેલે સમીક્ષા કરી નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી નવસારી પ્રવાસ અને નવનિર્મિત નમો કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમોને ભવ્ય તથા સુચારુ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે કમલમ કાર્યાલય આસપાસ સઘન વૃક્ષારોપણ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી…
વધુ વાંચો




