તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીમાં સિટી બસ સેવા સામે રિક્ષાચાલકોમાં રોષ : રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ વચ્ચે પાલિકાને રજૂઆત

નવસારીમાં સિટી બસ સેવા સામે રિક્ષાચાલકોમાં રોષ : રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ વચ્ચે પાલિકાને રજૂઆત

South Republic DeskSaturday, 19 September 2026 2 મિનિટ વાંચન · 3 hr ago 0
બસ સેવાનો વિરોધ નહીં, પરંતુ નિયત સ્ટોપ, રૂટ, મુસાફરોની મર્યાદા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાની ઓટો રિક્ષા એસોસિએશનની માંગ નવસારી : શહેરમાં શરૂ કરાયેલી પ્રાઇવેટ સિટી બસ સેવાને કારણે સામાન્ય રિક્ષાચાલકોની રોજીરોટી પર ગંભીર અસર પડી રહી હોવાની રજૂઆત નવસારી ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ કાનકાટે દ્વારા નવસારી મહાનગરપાલિકાના…

બસ સેવાનો વિરોધ નહીં, પરંતુ નિયત સ્ટોપ, રૂટ, મુસાફરોની મર્યાદા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાની ઓટો રિક્ષા એસોસિએશનની માંગ

નવસારી : શહેરમાં શરૂ કરાયેલી પ્રાઇવેટ સિટી બસ સેવાને કારણે સામાન્ય રિક્ષાચાલકોની રોજીરોટી પર ગંભીર અસર પડી રહી હોવાની રજૂઆત નવસારી ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ ગણેશભાઈ કાનકાટે દ્વારા નવસારી મહાનગરપાલિકાના મેયરને લેખિત આવેદનપત્ર પાઠવી સિટી બસ સેવાના સંચાલનમાં યોગ્ય નિયમન કરવાની માંગ કરવામાં આવી છે.

રિક્ષાચાલકોએ રજૂઆતમાં જણાવ્યું છે કે નવસારીમાં મોટા ઉદ્યોગ-ધંધા ન હોવાથી સ્થાનિક રિક્ષાચાલકો મુખ્યત્વે ઘરકામ કરતા શ્રમિકો અને ટ્રેન મુસાફરો પર નિર્ભર રહી પરિવારનું ગુજરાન ચલાવે છે. સિટી બસ સેવા શરૂ થયા બાદ રિક્ષાચાલકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરિસ્થિતિ યથાવત રહે તો પરિવારોની આર્થિક સ્થિતિ ગંભીર બનશે તેવી ચિંતા પણ તેમણે વ્યક્ત કરી છે.

રિક્ષા એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે તેઓ જનતા માટે શરૂ કરાયેલી બસ સેવાનો વિરોધ કરતા નથી, પરંતુ બસ સંચાલનમાં થતી હોવાનું કહેવાતી ગેરરીતિઓ સામે નિયમોનું કડક પાલન કરાવવું જરૂરી છે.

એસોસિએશને માંગ કરી છે કે બસો માત્ર નિયત સ્ટોપ પર જ ઊભી રાખવામાં આવે અને પાકા બસ સ્ટોપ તૈયાર ન થાય ત્યાં સુધી નિર્ધારિત પોઇન્ટ પરથી જ મુસાફરોને બેસાડવામાં આવે. રસ્તા વચ્ચે ગમે ત્યાંથી મુસાફરો ભરવાની પ્રવૃત્તિ પર રોક લગાવવામાં આવે.

કેટલાક રૂટ પર બસ પર રૂટની માહિતી દર્શાવવામાં આવતી ન હોવાની તથા કોલેજો છૂટવાના સમયે બસો મનફાવે તેમ દોડાવવામાં આવતી હોવાની રજૂઆત કરી તેના પર અંકુશ મૂકવાની માંગ કરવામાં આવી છે.

રિક્ષા સ્ટેન્ડ નજીક બસો ઊભી રાખી મુસાફરોને આકર્ષવા માટે બૂમો પાડવાની અને રિક્ષામાંથી મુસાફરો ઉતારી લેવાની પ્રવૃત્તિ બંધ કરાવવાની માંગ પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત બસોના આડેધડ પાર્કિંગ, રિક્ષાઓને ઓવરટેક કરીને અચાનક બ્રેક મારવી તથા પરમિટ કરતાં વધુ મુસાફરો ભરવા જેવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બસનું લઘુત્તમ ભાડું રૂ. 10 રાખવા, હાલ કાર્યરત બસોની સંખ્યા અને રૂટ જાહેર કરવા તેમજ વધુ બસો ન વધારવા અંગે ખાતરી આપવાની માંગ પણ એસોસિએશને રજૂ કરી છે.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 3 hr ago

દર મહિનાની 10 તારીખ સુધીમાં પગાર ચૂકવવાની મેયરની સૂચનાની અવગણના : આઉટસોર્સિંગ કર્મચારીઓમાં રોષ

નવસારી મનપાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને ઓગસ્ટનો પગાર ન મળતા બીજા દિવસે પણ રજા પર, સફાઈ સહિતની કામગીરીને અસર નવસારી : નવસારી મહાનગરપાલિકાના 80થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓને સમયસર પગાર ન મળતા તેઓ બીજા દિવસે પણ રજા પર રહ્યા હતા. દર મહિનાની 10 તારીખ સુધીમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવવા માટે નવસારી મહાનગરપાલિકાના મેયર દ્વારા અગાઉ…

વધુ વાંચો
નવસારી 3 hr ago

નવસારી જિલ્લામાં વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી

બે વાજબી ભાવની દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો જણાતા સંચાલકોને નોટિસ ફટકારાઈ નવસારી : નવસારી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોને કરવામાં આવતા અનાજ વિતરણની ચકાસણી માટે કુલ 7 ટીમોની રચના કરવામાં આવી હતી. ટીમો દ્વારા જિલ્લામાં વાજબી ભાવની દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નવસારી તાલુકાની…

વધુ વાંચો
નવસારી 3 hr ago

ભૂતસાડ ગામે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો

ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં લોકોએ દીપ પ્રગટાવ્યો નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર તાલુકાના ભૂતસાડ ગામે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદનો દીવો…

વધુ વાંચો
નવસારી 3 hr ago

સેવા સંકલ્પ અભિયાનમાં એક જ દિવસમાં રાજ્યવ્યાપી 410 રક્તદાન કેમ્પથી 18,500થી વધુ બોટલ રક્ત એકત્ર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની અવિરત જન સેવા-સાધનાની સેવા સંકલ્પ અભિયાનથી રાજ્યવ્યાપી ઉજવણી નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અવિરત જન સેવા-સાધનાના 25 વર્ષની સફળતાની ઉજવણી દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન દ્વારા કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના 76મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી એક મહિના સુધી આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો જનભાગીદારી સાથે યોજાશે. વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો