નવસારીમાં સમસ્ત દંતાણી દેવીપૂજક સમાજ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
નવસારીમાં સમસ્ત દંતાણી દેવીપૂજક સમાજ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
દશેરા ટેકરીથી ફુવારા સુધી ભવ્ય શોભાયાત્રા, ગરબા અને મધરાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
નવસારી : નવસારી સમસ્ત દંતાણી દેવીપૂજક સમાજ દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભારે ઉત્સાહ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં સ્થાનિક ભક્તો ઉપરાંત સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રવિવારે દશેરા ટેકરીથી ફુવારા સુધી ડીજેના તાલ અને વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા (વરઘોડો) કાઢવામાં આવી હતી. ફુવારા ખાતે આકર્ષક મંડપ ડેકોરેશન વચ્ચે સાંજે ડીજેના તાલે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના યુવાનો અને મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતા.
રાત્રે 12 વાગ્યે ઢોલ-નગારાના નાદ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે 1 વાગ્યે ફુવારાથી ટાવર રોડ અને ટાટા હાઇસ્કૂલ થઈને વેરાવળ નદી સુધી વિસર્જન યાત્રા યોજાઈ હતી.
વેરાવળ નદી ખાતે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં રાધા-કૃષ્ણની પ્રતિમાનું ભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન સમસ્ત દંતાણી દેવીપૂજક સમાજ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
ખડસુપા ગામે તળાવ ઊંડું કરવાનો ઠરાવ રદ કરાયો, ઈજારદાર પહોંચ્યો હાઈકોર્ટના દ્વારે
ટીડીઓના રદ હુકમની જાણ ન કર્યાના આક્ષેપ; સરપંચ-તલાટીએ વિવિધ વિભાગોને અંધારામાં રાખી તળાવ ખોદાવ્યું હોવાનો દાવો નવસારી : ખડસુપા ગામે સરપંચ અને તલાટીએ તળાવ ઊંડું કરવા માટે મંજૂર કરેલો ઠરાવ ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવને કારણે તાલુકા વિકાસ અધિકારીએ રદ કર્યો હતો. જોકે આ બાબતની જાણ ઇજારદારને કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે ઈજારદારે હાઈકોર્ટના દ્વાર…
વધુ વાંચોશહેરમાં સફાઈના બણગા ફૂંકનાર નવસારી મનપાના શૌચાલયમાં જ ગંદકીનું સામ્રાજ્ય
વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરભરમાં સ્વચ્છતા અભિયાન, મનપાની કચેરીના શૌચાલયની હાલત સામે ઉઠ્યા સવાલો નવસારી : આગામી 8મીએ વડાપ્રધાન નવસારી નમો કમલમનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે. જેને પગલે નવસારી મહાનગરપાલિકા સહિત જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં મોટા પાયે સાફ-સફાઈની કામગીરી ચાલી રહી છે,…
વધુ વાંચોરોજિંદા મુસાફરો માટે મેમુ ટ્રેનની ફ્રિકવન્સી વધારવાની માંગ ઉગ્ર બની
પીક અવર્સમાં ભારે ભીડથી નોકરિયાતો-વિદ્યાર્થીઓ પરેશાન, રેલવે અધિકારીઓ અને સાંસદને ઈ-મેલ અભિયાન શરૂ નવસારી : નવસારી રેલવે સ્ટેશનથી રોજ હજારો મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ખાસ કરીને સુરત અને વલસાડ તરફ નોકરીયાત વર્ગ રોજ ટ્રેનમાં અપડાઉન કરે છે. છેલ્લા કેટલાક સમયથી મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ ટ્રેનોની સંખ્યામાં વધારો ન થતાં મુસાફરી વધુ જોખમી…
વધુ વાંચોનવસારીના લુન્સીકૂઇ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મનપાની કડક કાર્યવાહી
ખાણી-પીણીની લારીઓમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, કુલ ₹5 હજારનો દંડ ફટકારાયો નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે આજે સવારથી વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ તથા સ્વચ્છતા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત લુન્સીકુઈ વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં ખાણી-પીણીની લારીઓ અને અન્ય સ્થળોએ વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. નવસારી મ્યુનિસિપલ…
વધુ વાંચો




