બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Peace committee meeting held in Bilimora ahead of Eid-e-Milad
બીલીમોરા : ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બીલીમોરા શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, મહાનુભાવો, શાંતિ સમિતિના સભ્યો તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન ઈદ-એ-મિલાદ પર્વ શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવાય તે અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શહેરમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સૌના સહકારની અપીલ કરવામાં આવી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ પણ શાંતિ, એકતા અને ભાઈચારાની ભાવના સાથે પર્વની ઉજવણી કરવા સહકાર આપવાની ખાતરી આપી હતી.
Related Stories · સંબંધિત સમાચાર
નવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read moreવાર્ષિક ઈ-કેવાયસી વગર પીએમ-કિસાન યોજનાના હપ્તા બંધ થશે
પીએમ-કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે દર નાણાકીય વર્ષે વાર્ષિક ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. સમયસર ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરાવનાર લાભાર્થીઓને આગામી હપ્તો મેળવવામાં અવરોધ આવી શકે છે.
Read more



