વાર્ષિક ઈ-કેવાયસી વગર પીએમ-કિસાન યોજનાના હપ્તા બંધ થશે
Annual e-KYC mandatory for PM-Kisan beneficiaries in Navsari
1લી એપ્રિલ-2026 બાદ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશનથી ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત
વાર્ષિક સહાય ₹6,000 | 3 હપ્તા | દર નાણાકીય વર્ષે e-KYC ફરજિયાત
નવસારી : ભારત સરકાર દ્વારા વર્ષ-2019થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. 6,000ની સહાય ત્રણ સમાન હપ્તામાં સીધી બેંક ખાતામાં ડીબીટી મારફતે ચૂકવવામાં આવે છે.
ભારત સરકારની વર્તમાન સૂચના અનુસાર પીએમ-કિસાન યોજનાના તમામ લાભાર્થી ખેડૂતો માટે દર નાણાકીય વર્ષે વાર્ષિક ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા (એપ્રિલ-જુલાઈ)ના રિલીઝ પૂર્વે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરાવવાની રહેશે. અગાઉના નાણાકીય વર્ષમાં કરાવેલી ઈ-કેવાયસી આગામી નાણાકીય વર્ષ માટે માન્ય ગણાશે નહીં. તેથી દર નાણાકીય વર્ષે નિર્ધારિત સમયમર્યાદામાં વાર્ષિક ઈ-કેવાયસી પુનઃ પૂર્ણ કરાવવી જરૂરી છે.
નવસારી જિલ્લાના જે લાભાર્થી ખેડૂતોના સ્ટેટસમાં “ઈ-કેવાયસી : યસ” જોવા મળે છે, પરંતુ જેમણે ગત 1લી એપ્રિલ-2026 પછી બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઈ-કેવાયસી કરાવેલ નથી, તેવા તમામ લાભાર્થી ખેડૂતોએ બાયોમેટ્રિક/ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાની રહેશે.
વાર્ષિક e-KYC પૂર્ણ નહીં થાય તો આગામી PM-Kisan હપ્તામાં અવરોધ આવી શકે છે.
વાર્ષિક ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરાવનાર લાભાર્થીઓને યોજનાનો આગામી હપ્તો મેળવવામાં અવરોધ આવી શકે છે.
નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના તમામ પીએમ-કિસાન લાભાર્થી ખેડૂતોને સમયસર વાર્ષિક ઈ-કેવાયસી પૂર્ણ કરાવી યોજનાનો આગામી હપ્તો અવરોધ વિના પ્રાપ્ત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
ઈ-કેવાયસી માટેની પ્રક્રિયા
પદ્ધતિ 1 — પીએમ-કિસાન મોબાઈલ એપ દ્વારા (ફેસ ઓથેન્ટિકેશન) : લાભાર્થી પોતે એપમાં “લોગીન” → “લોગીન ટાયપ” → “બેનેફિસયરી” વિકલ્પ પસંદ કરી આધાર નંબર/રજીસ્ટ્રેશન નંબરના આધારે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકશે. આ ઉપરાંત અન્ય 100 લાભાર્થીઓનું પણ ઈ-કેવાયસી કરી શકાશે.
પદ્ધતિ 2 — ગ્રામસેવક / વિલેજ નોડલ ઓફિસર દ્વારા (ફેસ ઓથેન્ટિકેશન) : ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસર પીએમ-કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા લાભાર્થી ખેડૂતોનું ઈ-કેવાયસી કરી શકશે.
પદ્ધતિ 3 — CSC / ઈ-ગ્રામ કેન્દ્ર દ્વારા (બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન) : લાભાર્થી પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ઈ-ગ્રામ કેન્દ્ર પર જઈ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકશે.
આથી નવસારી જિલ્લાના તમામ પીએમ-કિસાન લાભાર્થી ખેડૂતોને વહેલી તકે પોતાની વાર્ષિક ઈ-કેવાયસીની સ્થિતિ ચકાસી, જરૂરી હોય તો બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરાવી લેવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




