નવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
Eye camp held in Navsari with support of Somnath Mahadev Temple
150થી વધુ દર્દીઓએ આંખોની તપાસનો લાભ લીધો
150થી વધુ દર્દીઓએ લાભ લીધો | આંખોની તપાસ | રાહત દરે ચશ્મા | જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક મોતિયાનું ઓપરેશન
નવસારી : નવસારી શાંતાદેવી રોડ આવેલ આ સોમનાથ મહાદેવ મંદિર આવ્યું છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી દરરોજ દર્શને આવતા ભક્તોના ઘંટનાદથી મંદિર ગાજે છે તેમજ કુદરતી આપત્તિ આવે ત્યારે આ મંદિર જનસેવાથી ગાજી ઊઠે છે.
સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 150થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો.
કેમ્પમાં હાજર ચિકિત્સકોએ દરેકની આંખો તપાસી હતી. સાથે જ રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સિવાય જો કોઈ દર્દીએ મોતિયાનું ઓપરેશન કરવાનું થશે તો સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરમાં ફ્રી માં કરી આપવામાં આવશે અને દર્દીને રહેવા જમવાની વ્યવસ્થા આપશે.
કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓ
આંખોની તપાસ
150થી વધુ દર્દીઓને લાભ
રાહત દરે ચશ્માનું વિતરણ
જરૂરિયાત મુજબ મોતિયાનું ઓપરેશન
સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ખાતે નિઃશુલ્ક ઓપરેશનની સુવિધા
ઓપરેશન માટેના દર્દીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read moreવાર્ષિક ઈ-કેવાયસી વગર પીએમ-કિસાન યોજનાના હપ્તા બંધ થશે
પીએમ-કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે દર નાણાકીય વર્ષે વાર્ષિક ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. સમયસર ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરાવનાર લાભાર્થીઓને આગામી હપ્તો મેળવવામાં અવરોધ આવી શકે છે.
Read more



