બીલીમોરામાં પૂરગ્રસ્ત પરિવારોને રસોડાના ડબ્બાનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
Bilimora: Flood-hit families given kitchen containers in exemplary act of humanity
બીલીમોરા : બીલીમોરા ખાતે અગાઉ આવેલા ભયંકર પૂરના કારણે નુકસાન પામેલા પરિવારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આજે માનવતાભર્યું સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. બીલીમોરાના વતની અને હાલ અમેરિકામાં હોય નવીનભાઈ સોમાભાઈ પટેલ, તેમના પત્ની હંસાબેન, પુત્રી નિરાલીબેન અને પુત્ર ધવલભાઈ તરફથી પૂરગ્રસ્ત પરિવારોને રસોડામાં ઉપયોગી ડબ્બાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકાર્ય અંતર્ગત અંદાજે 200 જેટલા પરિવારોને પરિવાર દીઠ રસોડાના ઉપયોગી ડબ્બા ભેટરૂપે આપવામાં આવ્યા હતા. પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં નુકસાન ભોગવનાર પરિવારોને આ પ્રકારની મદદ કરવામાં આવી.
નવીનભાઈ સોમાભાઈ પટેલ મૂળ બીલીમોરાના વતની છે અને નિખાલસ, સેવાભાવી તથા ઉત્સાહી સ્વભાવ માટે જાણીતા છે. હાલ અમેરિકામાં હોવા છતાં પોતાના વતન બીલીમોરાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે આગળ આવી તેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના વ્યવસાય અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત હોવા છતાં સમાજના જરૂરિયાતમંદ લોકો માટે સેવા કરવાની ભાવના જાળવી રાખવી ખરેખર પ્રશંસનીય બાબત છે. નવીનભાઈ સોમાભાઈ પટેલ પરિવાર દ્વારા કરવામાં આવેલી આ માનવતાભરી મદદ બદલ સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને તેમના સેવાભાવી કાર્યને સર્વત્ર બિરદાવવામાં આવ્યું હતું.
પૂરગ્રસ્ત પરિવારોની મદદ માટે આગળ આવી નવીનભાઈ સોમાભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલ આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




