ગણદેવી તાલુકાની પ્રાથમિક વિદ્યામંદિર દેવસર-2 શાળા પ્લાસ્ટિક મુક્ત બનવા તરફ એક પ્રયાસ
Devsar-2 primary school in Gandevi moves towards becoming plastic free
બીલીમોરા : અમદાવાદના ધોળકા સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર ઈન્દ્રશીલ શાંતિવન ખાતે રવિવારના રોજ પાંચમો પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
3200 શાળા | 2 લાખ બાળકો | 125 વધુ શાળા | 8 લાખ ઈકો-બ્રિક્સ બોટલ
આ અભિયાન અંતર્ગત અગાઉ ગુજરાતની 3200 શાળાના બે લાખ બાળકો દ્વારા 6 લાખ વેસ્ટ બોટલ અને ત્યારબાદ વધુ 125 શાળાના 30,000 વિદ્યાર્થીઓ દ્વારા બે લાખ બોટલો એકત્રિત કરવામાં આવતા કુલ આઠ લાખ ઈકો-બ્રિક્સ બોટલોનો આંકડો પાર થયો છે. આ સિદ્ધિની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં કરવામાં આવી છે.
આ પ્રસંગે રેકોર્ડ પ્રમાણપત્રનું વિતરણ ગાંધીનગરના બાળ અધિકાર આયોગના સચિવ દિનેશભાઈ કાપડિયા, પૂર્વ મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી, વડ વાવો અભિયાનના પ્રણેતા રજનીભાઈ પટેલ તથા કેડિલાના સિનિયર મેનેજર દવે સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન માત્ર ઈકો-બ્રિક્સ પૂરતું સીમિત ન રહેતાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક વિદ્યામંદિર દેવસર-2 શાળામાં બાળકો પોતાના જન્મદિવસે ચોકલેટ અને પ્લાસ્ટિકના પડીકાના બદલે મુઠ્ઠી અનાજ લાવી પક્ષીઓને ખવડાવે છે. સારી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વાલીઓ બાળકોને આપવા માટે સ્ટેશનરી કીટ લાવી આપે છે.
શાળામાં અભ્યાસ કરતા બાળકો જ નહીં પરંતુ તેમના વાલીઓ પણ પોતાના બાળકોના જન્મદિન પ્રસંગે શાળાના બાળકોને સ્ટેશનરી કીટ આપે છે. આમ બાળકોના વાલીઓની સાથે ગ્રામજનો પણ પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનમાં સહભાગી બની રહ્યા છે.
સાથે જ વૃક્ષારોપણ, પક્ષીઓ માટે માળા બાંધવા, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે.
આ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શાળાના શિક્ષિકા દક્ષાબેન આઈ. પટેલને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા “પ્લાસ્ટિક ઘટાડો, પર્યાવરણ બચાવો અને બાળકોમાં જવાબદારીની ભાવના જગાવો”નો સંદેશ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.
Related Stories · સંબંધિત સમાચાર
નવસારીમાં તહેવાર ટાણે ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટ અને માવા-મીઠાઈની દુકાનોમાં તપાસ કરાઈ
રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને ખાદ્ય સુરક્ષા વિભાગે નવસારી જિલ્લામાં 31 ખાદ્ય સંસ્થાઓની તપાસ કરી અંદાજે ₹14,618નો 57.5 કિગ્રા ખાદ્ય જથ્થો નાશ કરાવ્યો.
Read moreનવસારીમાં પૂર્ણા નદીના પૂરથી પ્રભાવિત 500 પરિવારોને સહાય ચૂકવવા માંગ
પૂર્ણા નદીના ઘોડાપૂરથી નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોના આશરે 500 પરિવારોને થયેલા નુકસાન સામે આર્થિક સહાય વહેલી તકે ચૂકવવા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું.
Read moreગુજરાતની શાળા, કોલેજો, યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ ચૂકવવા માંગ
નવસારી એબીવીપીએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાકી શિષ્યવૃત્તિ તાત્કાલિક ચૂકવવા માંગ કરી
Read moreનવસારી મનપાના 5 વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને ત્રણેક મહિનાથી પગાર ન મળતા કચેરીએ હોબાળો
આગામી રક્ષાબંધનના તહેવાર ટાણે પગાર ન થતા મનપાની કામગીરી સામે આઉટસોર્સિંગ કર્મચારીઓ રોષે ભરાયા
Read more




