ગુજરાતની શાળા, કોલેજો, યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ ચૂકવવા માંગ
ગુજરાતની શાળા, કોલેજો, યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ ચૂકવવા માંગ
નવસારી : ગુજરાતની શાળા, કોલેજો, યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ ચૂકવવાની માંગ સાથે નવસારી એબીવીપીએ નવસારી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવસારી અધિક કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની વિવિધ શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ તથા અન્ય માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા એસસી-એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ તથા અન્ય પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત રીતે ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે.
પરંતુ રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ પાસેથી પ્રાપ્ત થતી રજૂઆતો મુજબ અનેક પાત્ર વિદ્યાર્થીઓની શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી એમવાયએસવાય, સીએમએસએસ વગેરે, આદિજાતિ વિભાગમાંથી મળતી પ્રિ-મેટ્રિક તેમજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તથા સમાજ કલ્યાણ વિભાગમાંથી મળતી વિવિધ શિષ્યવૃત્તિની રકમ સમયસર તેમના બેંક ખાતામાં જમા થતી નથી.
કેટલાક વિદ્યાર્થીઓની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ, વેરિફિકેશન, સેન્કશન અથવા પેમેન્ટ સ્થિતિમાં હોવાનું જાણવા મળે છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના કેસમાં બેંક, ડીબીટી, આધાર/એનપીસીઆઈ, ઇન્સ્ટિટ્યૂટ વેરિફિકેશન અથવા અન્ય ટેકનિકલ અને વહીવટી કારણોસર ચુકવણી અટકેલી હોવાનું જણાય છે.
આ પરિસ્થિતિને કારણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસ ફી, હોસ્ટેલ ફી, પુસ્તકો, રહેવા-જમવા તથા અન્ય શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલી પડે છે અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ પર આર્થિક ભારણ વધે છે.
જેથી ગુજરાત સરકાર દ્વારા વિશેષ કાર્યવાહી કરી બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવે તથા પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Related Stories · સંબંધિત સમાચાર
નવસારીમાં તહેવાર ટાણે ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટ અને માવા-મીઠાઈની દુકાનોમાં તપાસ કરાઈ
રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને ખાદ્ય સુરક્ષા વિભાગે નવસારી જિલ્લામાં 31 ખાદ્ય સંસ્થાઓની તપાસ કરી અંદાજે ₹14,618નો 57.5 કિગ્રા ખાદ્ય જથ્થો નાશ કરાવ્યો.
Read moreનવસારીમાં પૂર્ણા નદીના પૂરથી પ્રભાવિત 500 પરિવારોને સહાય ચૂકવવા માંગ
પૂર્ણા નદીના ઘોડાપૂરથી નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોના આશરે 500 પરિવારોને થયેલા નુકસાન સામે આર્થિક સહાય વહેલી તકે ચૂકવવા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું.
Read moreનવસારી મનપાના 5 વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને ત્રણેક મહિનાથી પગાર ન મળતા કચેરીએ હોબાળો
આગામી રક્ષાબંધનના તહેવાર ટાણે પગાર ન થતા મનપાની કામગીરી સામે આઉટસોર્સિંગ કર્મચારીઓ રોષે ભરાયા
Read moreનવસારી ખેડૂત મંડળીની 74મી સભામાં ખેડૂત હિતના નિર્ણયો
સહકારી પ્રવૃત્તિ માત્ર આર્થિક મોડલ નથી પણ સામાજિક શ્રદ્ધા છે : મહેશભાઈ પટેલ
Read more




