નવસારીમાં પૂર્ણા નદીના પૂરથી પ્રભાવિત 500 પરિવારોને સહાય ચૂકવવા માંગ
Demand to pay relief to 500 families affected by Purna river flood in Navsari
નવસારી : આ વર્ષે ચોમાસાની શરૂઆત જોરદાર રહી હતી. નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદે ધુંઆધાર બેટિંગ કરી હતી. જેના પગલે નવસારી શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.
બીજી તરફ ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીના પાણીના સ્તરમાં વધારો થયો હતો. જેથી પૂર્ણા નદી આશરે 30 ફૂટ આસપાસ વહી રહી હતી.
આશરે 500 પરિવારોને નુકસાન | પૂર્ણા નદી 30 ફૂટ આસપાસ | સહાય હજુ જમા થઈ નથી
પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપૂરને પગલે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા. પૂરનાં પાણી વિરાવળ, કાશીવાડી, કમેલા રોડ, દાંડીવાડ, મિથિલાનગરી તેમજ માતા ફળિયા સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં ભરાતા મોટું નુકસાન થયું હતું.
આ બાબતે નવસારી મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પ્રભાબેન વલસાડિયા તથા કોર્પોરેટર પ્રકાશભાઈ રાઠોડે અસરગ્રસ્તો સાથે નવસારી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
નવસારી મામલતદારને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પૂરના કારણે લગભગ 500 જેટલા પરિવારોને ઘરવખરી અને માલસામાનનું વ્યાપક નુકસાન થયું છે, પરંતુ હજુ સુધી તેમના બેંક ખાતામાં સરકાર તરફથી મળવાપાત્ર આર્થિક સહાય કે કેશડોલ્સની રકમ જમા થઈ નથી.
ગરીબ અને મધ્યમવર્ગીય અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સહાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.
આ રજૂઆતને પગલે નવસારી મામલતદારે અસરગ્રસ્તોની મુશ્કેલીઓને ધ્યાને લઈ તમામ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી વહેલી તકે સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં આર્થિક સહાય પહોંચાડવાની હૈયાધારણ આપી હતી.
Related Stories · સંબંધિત સમાચાર
નવસારીમાં તહેવાર ટાણે ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટ અને માવા-મીઠાઈની દુકાનોમાં તપાસ કરાઈ
રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને ખાદ્ય સુરક્ષા વિભાગે નવસારી જિલ્લામાં 31 ખાદ્ય સંસ્થાઓની તપાસ કરી અંદાજે ₹14,618નો 57.5 કિગ્રા ખાદ્ય જથ્થો નાશ કરાવ્યો.
Read moreગુજરાતની શાળા, કોલેજો, યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ ચૂકવવા માંગ
નવસારી એબીવીપીએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાકી શિષ્યવૃત્તિ તાત્કાલિક ચૂકવવા માંગ કરી
Read moreનવસારી મનપાના 5 વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને ત્રણેક મહિનાથી પગાર ન મળતા કચેરીએ હોબાળો
આગામી રક્ષાબંધનના તહેવાર ટાણે પગાર ન થતા મનપાની કામગીરી સામે આઉટસોર્સિંગ કર્મચારીઓ રોષે ભરાયા
Read moreનવસારી ખેડૂત મંડળીની 74મી સભામાં ખેડૂત હિતના નિર્ણયો
સહકારી પ્રવૃત્તિ માત્ર આર્થિક મોડલ નથી પણ સામાજિક શ્રદ્ધા છે : મહેશભાઈ પટેલ
Read more




