જલાલપોર તાલુકામાં દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનો માટે યોજાયેલો બે દિવસીય એસેસમેન્ટ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ થયો
Two-day assessment camp for disabled and elderly concludes successfully in Jalalpore
જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ તમામ દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને લાભ અપાવવા અગ્રેસર રહ્યા
801 લાભાર્થીઓ પૈકી 702 વયોવૃદ્ધજનો અને 99 દિવ્યાંગ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો
નવસારી : જલાલપોર તાલુકામાં વિવિધ સ્થળોએ દિવ્યાંગજનો તથા વયોવૃદ્ધજનોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાના હેતુસર 2 દિવસીય એલિમકો એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ જલાલપોર તાલુકાના તમામ દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને મળે તે માટે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ અગ્રેસર રહ્યા હતા. જલાલપોર તાલુકામાં ઘણા ગામો આવ્યા છે ત્યારે ધારાસભ્ય આર.સી. પટેલે ગામના તમામ જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મળે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જેથી તેમણે ગામના તમામ સરપંચોને સૂચના આપી હતી. ઉપરાંત આ 2 દિવસીય કેમ્પ દરમિયાન ધારાસભ્ય આર.સી. પટેલે હાજર રહી લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ સિવાય કેમ્પમાં મુલાકાત અર્થે આવતા લાભાર્થીઓને અગવડતા ન પડે તે માટે ફ્રૂટ, ચા-નાસ્તો તેમજ પાણીની વ્યવસ્થા કરી હતી.
બીજી તરફ નવસારી જિલ્લા કલેકટર મનીષભાઈ ગુરવાનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જલાલપોર મામલતદાર મૃણાલદાન ઇસરાણીએ લાભાર્થીઓની નોંધણી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી સહિતની કામગીરી સાથે લાભાર્થીઓના દસ્તાવેજોમાં ક્ષતિ અથવા જરૂરી દસ્તાવેજોની અછત હોવાનું માલૂમ પડે તો એવા લાભાર્થીઓની દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરાવવા પાત્રતા મુજબ તેમને સહાયક સાધનોનો લાભ મળે તે માટેની જવાબદારી નિભાવી હતી.
આ 2 દિવસીય કેમ્પમાં ગત 22મીએ 378 જરૂરિયાતમંદ દિવ્યાંગ અને વયોવૃદ્ધજનોને લાભ મળ્યો હતો. જયારે 2 દિવસમાં કુલ 801 લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં 702 વયોવૃદ્ધજનો અને 99 દિવ્યાંગ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. તેમજ 636 જેટલા લોકોએ ઓફલાઈન રજીસ્ટ્રેશનમાં મુલાકાત કરી હતી. જેથી કુલ 1440 જેટલા લોકોએ આ 2 દિવસીય કેમ્પની મુલાકાત કરી હતી.
કુલ 1440 લોકોએ બે દિવસીય કેમ્પની મુલાકાત લીધી — 801 લાભાર્થીઓએ સહાયક સાધનો માટે નોંધણી કરાવી.
ફોટો ગેલેરી
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




