મ્યુલ બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવનારા બે આરોપી ઝડપાયા, એક વોન્ટેડ
મ્યુલ બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવનારા બે આરોપી ઝડપાયા, એક વોન્ટેડ
ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ જલાલપોર પોલીસની કાર્યવાહી, બેંક ખાતાઓમાં ₹22.03 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા
નવસારી : જલાલપોર પોલીસે બાતમીના આધારે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતી ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ભારત સરકારના નવી દિલ્હીસ્થિત ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર તરફથી પ્રાપ્ત બેંક એકાઉન્ટની માહિતીના આધારે જલાલપોર પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટોના ઈનપુટ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નવસારી કેનેરા બેંક બ્રાંચનું એક મ્યુલ એકાઉન્ટ મળી આવ્યું હતું.
આ એકાઉન્ટની ઊંડાણપૂર્વક તપાસ કરતાં તે મૂળ મોરબીના રેલ્વે સ્ટેશન આગળ મોટા દહીંસરા અને હાલ જલાલપોરના ગૌરીશંકર મહોલ્લા, મહાવીર સોસાયટીમાં રહેતા મયુરકુમાર ઉર્ફે મુરલી મુકુંદરાય પીઠડીયાનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી મયુરકુમાર ઉર્ફે મુરલીને તેના ઘરેથી ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો.
ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ, ડિજિટલ સર્વેલન્સ અને ટ્રેકિંગના આધારે બીજા મ્યુલ બેંક એકાઉન્ટ હોલ્ડર મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મહેતા ખંભાળિયા ગામના અને હાલ જલાલપોર રોડ, આનંદ ભુવનની ચાલમાં રહેતા રાહુલ ભરતભાઈ રાઠોડને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે બંને આરોપીઓના મ્યુલ બેંક એકાઉન્ટોની ચકાસણી કરતાં તેમાં અલગ-અલગ રાજ્યોમાંથી કુલ ₹22.03 લાખના ટ્રાન્ઝેક્શન થયેલા હોવાનું સામે આવ્યું હતું. આ તપાસ દરમિયાન કોલકાતાના બિદ્ધનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકે વર્ષ 2024માં નોંધાયેલા એક ગુનાનો ભેદ પણ ઉકેલાયો હતો.
આ કેસમાં સુરતના કતારગામ વિસ્તારમાં બવસરનગર સોસાયટીમાં રહેતા નીખીલ દિનેશભાઈ મકવાણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જલાલપોર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
નવસારી મનપાના મેયર અને મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી
હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ, સ્વચ્છતા-ટ્રાફિક સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના નવસારી : નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી 8 સપ્ટેમ્બરના નવસારી પ્રવાસને અનુલક્ષીને હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વિગતવાર ફિલ્ડ વિઝિટ કરી વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.…
વધુ વાંચોનવસારીમાં દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી
લક્ષ્મણ હોલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી મહાનુભાવોએ રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજના વિચારોને યાદ કર્યા નવસારી : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખર નેતા, ‘સ્વરાજ’ શબ્દના ઉદ્ઘોષક અને નવસારીના પનોતા પુત્ર દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા તથા દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિ દ્વારા લક્ષ્મણ હોલ ખાતે ભાવભર્યો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, નવસારીના…
વધુ વાંચોનવસારી મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી, ગ્રીડ અંડરબ્રિજ કામગીરીની સમીક્ષા
હેલિપેડથી કમલમ કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ; બારડોલી-નવસારી માર્ગ વહેલી તકે ખુલ્લો કરવા સૂચના નવસારી : નવસારી મહાનગરપાલિકા કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને હેલિપેડ સ્થળથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વ્યવસ્થાની સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન વોટરપ્રૂફ ડોમ, પાર્કિંગ વ્યવસ્થા, રૂટની સ્વચ્છતા, માર્ગ પરના બિનજરૂરી અવરોધો…
વધુ વાંચોનવસારી એસ.ટી. ડેપો પાસે વાડી મહોલ્લાનો રસ્તો બિસ્માર
મસમોટા ખાડાઓથી એસ.ટી. બસના મુસાફરો અને સ્થાનિકો પરેશાન, રસ્તાના રીપેરિંગની માંગ નવસારી : નવસારી એસ.ટી. ડેપો પાસે આવેલા વાડી મહોલ્લાના રસ્તા પર મસમોટા ખાડાઓ પડી જતા રસ્તો બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. જેના કારણે સ્થાનિકો તેમજ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ નવસારી મહાનગરપાલિકા સમક્ષ રસ્તો તાત્કાલિક બનાવવાની માંગ કરી છે. નવસારીના…
વધુ વાંચો




