નવસારીની અનેરી શેલાડિયાને બી.કોમ.ની પદવી સાથે છ મેડલ અને બે પ્રાઈઝ એનાયત
Navsari's Aneri Sheladia receives six medals and two prizes at VNSGU convocation
નવસારીની નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટની વિદ્યાર્થિનીનો 9.15 સી.જી.પી.એ. મેળવી યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ દેખાવ
6 મેડલ | 2 પ્રાઈઝ | 9.15 CGPA | B.Com. — યુનિવર્સિટી સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ
સુરત : સફળતા માત્ર ગુણપત્રકમાં નહીં, પરંતુ સપનાઓને સાકાર કરવાની દિશામાં ભરાયેલા મક્કમ પગલામાં વસે છે. આ ઉક્તિને નવસારીની વિદ્યાર્થિની અનેરી હસમુખભાઈ શેલડિયાએ સાચા અર્થમાં સાબિત કરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 59મા પદવીદાન સમારોહમાં અનેરીએ પોતાની શૈક્ષણિક સિદ્ધિઓથી માત્ર પરિવાર જ અને નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
નવસારીના એરુ ચાર રસ્તા સ્થિત એવન્યુ રેસિડન્સીમાં રહેતી અને નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં અભ્યાસ કરનારી અનેરીએ માર્ચ-2026ની બી.કોમ. પરીક્ષામાં 9.15 સી.જી.પી.એ. મેળવી યુનિવર્સિટી સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે છ મેડલ અને બે પ્રતિષ્ઠિત પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા છે.
અનેરીને મળેલા સન્માનોમાં મંગલ્યા મેડલ, બાલદેવસિંહ ચંદ્રસિંહ મહીડા ગોલ્ડ મેડલ, લેટ રતિલાલ અને લેટ નાઓશીરવાન કરંજિયા ગોલ્ડ મેડલ, ભાવનાબેન પચ્ચીગર ગોલ્ડ મેડલ (ઓવરઓલ ફર્સ્ટ રેન્ક) અને ભાવનાબેન પચ્ચીગર ગોલ્ડ મેડલ (એડવાન્સ્ડ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ) જેવા પ્રતિષ્ઠિત એવોર્ડનો સમાવેશ થાય છે. સાથે જ તેને શ્રી અશ્વિન મહેતા પ્રાઈઝ અને હેમલબેન સુંદરલાલ દેસાઈ પ્રાઈઝ પણ મળ્યા છે.
અનેરીનું UPSC પાસ કરી દેશસેવા કરવાનું સ્વપ્ન
બી.કોમ.ની પરીક્ષામાં 9.15 સી.જી.પી. મેળવી યુનિવર્સીટી સ્તરે મેળવેલી સિદ્ધિ અંતિમ મુકામ નથી. તેના સપનાઓની ઊંચાઈ હજુ ઘણી મોટી છે. નવસારીની અનેરી શેલડીયા આગામી સમયમાં યુપીએસસી સિવિલ સર્વિસિસ પરીક્ષા પાસ કરીને આઈએએસ અથવા આઈપીએસ અધિકારી બનવા માંગે છે. દેશના વિકાસ, સુશાસન અને જનકલ્યાણ માટે કાર્ય કરવાની તેની પ્રબળ ઇચ્છા છે.
ફોટો ગેલેરી
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




