Wednesday, 26 August 2026Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
મોબાઈલ :
+91 76000 00700
નવસારી

નવસારીમાં જિલ્લામાં ખાદ્ય સુરક્ષા વિભાગની વિવિધ હોટલોમાં તપાસ શરૂ

Food safety department begins inspection drive at hotels across Navsari district

સાઉથ રિપબ્લીક બ્યુરોSunday, 23 August 2026 1 min read · 4 days ago 0
નવસારી જિલ્લામાં ખાદ્ય સુરક્ષા વિભાગે નેશનલ હાઇવે નં. 48 તથા આસપાસના વિસ્તારોમાં હોટલો અને ફૂડ કોર્ટમાં સઘન તપાસ હાથ ધરી, નમૂના લીધા અને 16 કિલોગ્રામ ખાદ્ય પદાર્થોનો નાશ કર્યો.

નવસારી : નવસારી જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા નેશનલ હાઇવે નં. 48 તથા આસપાસના વિસ્તારોમાં ખાદ્ય પરિસરોની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં હોટલ ગ્રીન ઓનિયન, હોટલ નવજીવન, હોટલ નીલકંઠ, શ્રી સાઈ વિભૂતિ ફૂડ કોર્ટ (સુગર એન સ્પાઇસ) અને હાર્ડકેસલ રેસ્ટોરન્ટ (મેકડોનાલ્ડ) માં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ ડમરીયાં શ્રી સાઈ વિભૂતિ ફૂડ કોર્ટ (સુગર એન સ્પાઇસ) માંથી કંપની પેક્ડ મલાઈ પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો. તેમજ 16 કિલોગ્રામ તૈયાર ખાદ્ય પદાર્થો તથા અન્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય હાર્ડકેસલ રેસ્ટોરન્ટ (મેકડોનાલ્ડ) માંથી મિક્ષ બેરી સ્મૂથી, કંપની પેક્ડ ટોન્ડ મિલ્ક અને કંપની પેક્ડ મેંગો ફ્લેવરના ડીપના નમૂના લેવામાં આવ્યા હતા.

હોટલના સ્ટોરેજ વિભાગમાં ખાદ્ય સામગ્રીનું નિરીક્ષણ
રેસ્ટોરન્ટના પેકેજ્ડ ખાદ્ય પદાર્થોની તપાસ

આ સિવાય ગત રોજ બીલીમોરાના શ્રી સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસના મેળા અંતર્ગત પણ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે તપાસ તથા સ્થળ પર ખાદ્ય પદાર્થોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે મેળામાં કુલ 35 ખાદ્ય પરિસરોની તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 88 લીટર અયોગ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 65 લીટર લાલ ચટણી તથા 23 લીટર વપરાયેલું ખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો.

મેળાના ખાદ્ય સ્ટોલ પર ખાદ્ય સુરક્ષા વિભાગની તપાસ
બીલીમોરાના મેળામાં અયોગ્ય ખાદ્ય સામગ્રીનો નાશ

ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા ખાદ્ય વ્યવસાયકારોને સ્વચ્છતા જાળવવા, ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવા તથા ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 અને તેના હેઠળના નિયમો/વિનિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. નમૂનાઓના લેબોરેટરી પરીક્ષણના પરિણામો પ્રાપ્ત થયા બાદ નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 15 hr ago

બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read more
નવસારી 15 hr ago

નવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.

Read more
નવસારી 15 hr ago

નવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો

નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Read more
નવસારી 16 hr ago

છાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ

ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.

Read more
આજનું ઈ-પેપર વાંચો