નવસારી ગ્રીડ ઓવરબ્રિજ નીચે પડેલો મોબાઈલ ટ્રાફિક પોલીસના એ.એસ.આઈ.એ માલિકને પરત સોંપ્યો
Navsari traffic police ASI returns lost mobile phone to owner
એ.એસ.આઈ. સંદિપભાઈ ચૌધરી અને ટી.આર.બી. જવાન પ્રજ્ઞેશભાઈ દેશમુખે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ગ્રીડ ઓવરબ્રિજ નીચે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો રોજ ટ્રાફિક સંચાલનની ફરજ ઉપર હાજર રહે છે. ત્યારે ટ્રાફિક પોલીસના એ.એસ.આઈ. અને ટીઆરબી જવાને માનવતાભરી મદદ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આજે ગ્રીડ ઓવરબ્રિજ નીચે તાપીના ડોલવણ ગામે રહેતા વિમલભાઈ ચૌધરી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની પાસે રહેલો આશરે 21 હજાર રૂપિયાનો વિવો કંપનીનો મોબાઈલ પડી ગયો હતો.
આ મોબાઈલ ટ્રાફિક સંચાલનની ફરજ પર હાજર એ.એસ.આઈ. સંદિપભાઈ ચૌધરી અને ટી.આર.બી. જવાન પ્રજ્ઞેશભાઈ દેશમુખને મળ્યો હતો. તેઓ ફરજ ઉપર હાજર હોવાથી તે સમયે ફોન પોતાની પાસે જ સુરક્ષિત રાખ્યો હતો.
દરમિયાન થોડા સમય બાદ પડી ગયેલા મોબાઈલ ઉપર ફોન આવતા એ.એસ.આઈ. સંદિપભાઈએ ફોન ઉઠાવી મોબાઈલ માલિક સાથે વાત કરી હતી. સાથે જ પોતે પોલીસમાં હોવાનું જણાવી મોબાઈલ માલિકને ટેન્શન ન લેવા જણાવ્યું હતું.
એ.એસ.આઈ. સંદિપભાઈએ મોબાઈલ માલિકને મોબાઈલનું બિલ અને જરૂરી પુરાવાઓ સાથે લાવવા જણાવ્યું હતું. થોડા સમય બાદ મોબાઈલ માલિકે આવી એ.એસ.આઈ. સંદિપભાઈને મોબાઈલનું બિલ અને જરૂરી કાગળો આપી પડી ગયેલો મોબાઈલ તેમનો જ હોવાનું જણાવ્યું હતું.
જરૂરી ચકાસણી બાદ એ.એસ.આઈ. સંદિપભાઈ અને ટી.આર.બી. જવાન પ્રજ્ઞેશભાઈએ મોબાઈલ માલિકને મોબાઈલ પરત સોંપ્યો હતો.
મોબાઈલ માલિક વિમલભાઈ ચૌધરીએ એ.એસ.આઈ. સંદિપભાઈ અને ટી.આર.બી. જવાન પ્રજ્ઞેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
પડી ગયેલો કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત આપી એ.એસ.આઈ. સંદિપભાઈ ચૌધરી અને ટી.આર.બી. જવાન પ્રજ્ઞેશભાઈ દેશમુખે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




