નવસારીની મહાફરીન દેસાઈને રાજ્યપાલના હસ્તે ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા
Navsari's Mahafarin Desai receives three gold medals from Governor at VNSGU convocation
વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા નવસારીની મહાફરીન શાહરૂખ દેસાઈને બી.એસસી. (મેથેમેટિક્સ)ની પદવી સાથે ત્રણ ગોલ્ડ મેડલ એનાયત
નવસારીની બી.પી. બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિનીએ 9.77 સી.જી.પી.એ. સાથે યુનિવર્સિટીમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું
3 ગોલ્ડ મેડલ | 9.77 CGPA | B.Sc. Mathematics | યુનિવર્સિટીમાં સર્વોચ્ચ સ્થાન
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 59મા પદવીદાન સમારોહમાં નવસારી જિલ્લાની પ્રતિભાશાળી વિદ્યાર્થિની મહાફરીન શાહરૂખ દેસાઈએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. નવસારીના તરોટા બજાર વિસ્તારમાં રહેતી અને નવસારી બી.પી. બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરનાર મહાફરીને બી.એસસી. (મેથેમેટિક્સ)માં 10 માંથી 9.77 સી.જી.પી.એ. મેળવી યુનિવર્સિટીમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ પદવીદાન સમારોહ દરમિયાન મહાફરીનને શ્રી પરમહંસ યોગાનંદ મેડલ સહિત કુલ ત્રણ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ બદલ પરિવારજનો અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.
મહાફરીનના પિતા શાહરૂખભાઈ દેસાઈ ડાયમંડ ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતી મહાફરીને પોતાની મહેનત, લગન અને સતત અભ્યાસના બળે આ અસાધારણ સફળતા પ્રાપ્ત કરી છે. અભ્યાસ દરમિયાન તેણે ગણિત વિષયમાં વિશેષ રસ દાખવી સતત શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.
મહાફરીનનું રિસર્ચર બનવાનું સપનું
મહાફરીન દેસાઈનું સ્વપ્ન ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને રિસર્ચર બનવાનું છે. ગણિત અને સંશોધન ક્ષેત્રમાં નવી શોધખોળ કરીને સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવાની તેની ઇચ્છા છે. તેણે પોતાની આ સફળતાનો શ્રેય માતા-પિતા, શિક્ષકો અને સંસ્થાના માર્ગદર્શનને આપ્યો હતો. મહાફરીનની આ સિદ્ધિ યુવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.
ફોટો ગેલેરી
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




