નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા જૂના જમાનાથી વેપાર કરતા વ્યાપારીઓનું અભિવાદન
Navsari Management Association honours legacy businesses
કોલાહજી, પારેખ બ્રધર્સ, ચત્રભુજ નાનચંદ, રમાબેન હોસ્પિટલ, ઘેલાભાઈ પેટ્રોલિયમ અને હુંદરાજ દાણા-ચણાના વેપારીઓનું અભિવાદન થયું
નવસારી : નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સ્થાપના કાળથી આજ સુધી અંદાજે 400 જેટલા વિવિધ કાર્યક્રમો નવસારીના સર્વાંગી વિકાસ માટે થયા છે. નવસારી મેનેજમેન્ટ એસો. દ્વારા દાયકાઓથી વેપાર કરતા 6 જેટલા વ્યાપારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
141 વર્ષમાં પ્રવેશેલા અને તાજેતરમાં વિસ્તાપ કોલાહ અને વિસ્મય કોલાહ પરિવારનું અભિવાદન એનએમસી મેયર અશોકભાઈ ધોરાજીયા, હાર્દિકભાઈ નાયક, રોહન સુલે, ડો. દિનેશ જોશી, લલિતભાઈ પંડ્યા તથા કેયુરભાઈ દેસાઈ દ્વારા થયું હતું. આ પ્રસંગે પ્રમુખ રોહન સુલે દ્વારા આવકાર પ્રવચન આપવામાં આવ્યું હતું.
નવસારી મેનેજમેન્ટ એસો.ના દિગ્ગજ પીઠબળ એન. જે. ગ્રુપના જીગ્નેશ દેસાઈએ જણાવ્યું કે, વિશ્વમાં માત્ર ભારત જ યુવાઓનો દેશ છે. દેશની 75 ટકા વસ્તી 35 વર્ષથી નીચેના યુવાઓનો ધન છે. આ 6 વ્યાપારીઓના અભિવાદનમાં કોઈથી સારું નહીં પણ કોઈનું સારું કરીએ એ ઉમદા હેતુનો છે. સફળતા માટે ગજવામાં ગાંધી નહીં પણ આત્મવિશ્વાસની આંધી અને મક્કમતા જરૂરી છે. દાયકાઓથી નિષ્ઠાપૂર્વક વેપાર કરી ગ્રાહકોનો વિશ્વાસ જીતનારાઓનું આ અભિવાદન છે.
101 વર્ષોથી અવિરતપણે સિદ્ધિના શિખરો સર કરતા પારેખ બ્રધર્સ જવેલર્સના ઉષ્માસભર અભિવાદનનો પ્રતિભાવ આપતા સયાજી વૈભવ લાયબ્રેરીના પ્રમુખ પ્રશાંતભાઈ પારેખે જણાવ્યું કે, વડદાદા છોટાલાલ ઘેલાભાઈ પારેખ બાદ હીરાલાલ પારેખ અને બાદમાં નરેન્દ્ર પારેખ અને કાકા શાંતિલાલ પારેખે અનેક ઉતાર-ચઢાવો જોયા છે. નગરશેઠનો ઈલ્કાબ એમને મળ્યો અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ બે વખત અમારા પરિવારમાં ભોજન લેવા આવ્યા હતા. અત્યારે મારા ભાઈઓ જીગ્નેશ અને હિરેન તથા યુવા પેઢી આદિત્ય, પ્રીતેશ, ભાવિન અને હર્ષિલ અમારા પરિશ્રમ અને ગ્રાહક રાહત સેવામાં જોડાયા છે.
86 વર્ષથી ચાલતી ચત્રભુજ નાનચંદની પેઢીમાં દલીચંદભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ તથા ગુણવંતભાઈ શાહ પછી અમે ભવ્ય શાહ અને મેહુલ શાહ વેપાર કરી રહ્યા છીએ.
ડો. રમાબેન હોસ્પિટલ 78 વર્ષોથી સતત ચાલુ છે અને સર્વોત્તમ તબીબી સેવા કરતી હોવાનું તથા ડો. રમાબેન બાદ લોકપ્રિય તબીબ ડો. વિપુલ કાપડિયા તથા ડો. વૈભવ અને ડો. મુંજાલ તથા ડો. કવિતા અને સિદ્ધિ કાપડિયા વર્તમાન પેઢીમાં તબીબી સેવા આપી રહ્યા છે. આ હોસ્પિટલમાં અંદાજે 90,000 સંતાનોનો જન્મ થઈ ચૂક્યો છે.
નવસારીના સૌથી જૂના પાલિકા પાસે આવેલા ઘેલાભાઈ ગોપાલજી પેટ્રોલપંપમાં તેમના સંતાનો સ્વ. ઈશ્વરભાઈ દેસાઈ તથા ભાસ્કરભાઈ દેસાઈ અને હાલ રાજુભાઈ તથા પરેશભાઈ દેસાઈ સંચાલન કરી રહ્યા છે. પ્રતિદિન 13,000 લિટર કરતાં વધુ પેટ્રોલનો પુરવઠો ગ્રાહકોને આપી રહ્યા છે.
64 વર્ષથી દેશ-વિદેશમાં પ્રખ્યાત હુંદરાજ દાણા-ચણાની શરૂઆત સાળા-બનેવીની જોડી હુંદરાજ બલવાણી તથા સખારામભાઈ સેવાણીએ કરી હતી. માજી વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સચિન તેંડુલકર, આશા પારેખ તથા અભિનેતા ધર્મેન્દ્રએ પણ હુંદરાજના દાણા-ચણાની મજા માણી છે.
હાલ મહેશ તથા જયેશ સેવાણી હુંદરાજ દાણા-ચણાનો લોકપ્રિય આંતરરાષ્ટ્રીય વેપાર કરી રહ્યા છે. તેમના પુત્રો પ્રશાંત, મયુર અને રાહુલ સેવાણી પણ આ વ્યવસાયમાં સેવા આપી રહ્યા છે.
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




