નવસારી મહાનગરપાલિકા આઉટસોર્સ કર્મચારીઓની રજૂઆત બાદ એજન્સીઓ દ્વારા બાકી પગાર ચૂકવાયા
Navsari Municipal Corporation outsourced staff receive pending salaries after mayor intervenes
નવસારી : નવસારી મહાનગરપાલિકાના આઉટસોર્સ કર્મચારીઓએ પગાર ન મળ્યો હોવાની રાવ મનપાના મેયરને કરી હતી. જેથી મેયરે એજન્સીઓને સૂચના આપતા જ તમામ આઉટસોર્સ કર્મચારીઓને બાકી રહેલો પગાર ચુકવવામાં આવતા આઉટસોર્સ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
નવસારી મહાનગરપાલિકાના માઈનોર ડ્રેનેજ, વોટર વર્ક્સ, ગાર્ડન, દબાણ હટાવ અને પીઆરઓ બ્રાંચમાં આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે ફરજ બજાવતા શ્રમિકો અને કર્મચારીઓ દ્વારા તેમના બાકી પગાર અંગે મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.
કર્મચારીઓએ શ્રાવણ માસ અને રક્ષાબંધન જેવા તહેવારોના સમયમાં પગાર સમયસર ન મળવાને કારણે પડતી આર્થિક મુશ્કેલીઓ અંગે મેયરને માહિતગાર કર્યા હતા.
કર્મચારીઓની આ રજૂઆત મળતા જ મેયર દ્વારા તાત્કાલિક ધોરણે સંબંધિત વિભાગોના ડેપ્યુટી કમિશનર અને અન્ય અધિકારીઓને આ બાબતે તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ કારોબારી સમિતિના ચેરમેન મુકેશભાઈની ઉપસ્થિતિમાં આ સમગ્ર મામલાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
આ વહીવટી તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે, કેટલીક આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા સમયસર બિલ રજૂ કરવામાં આવ્યા ન હોવાથી પગાર ચૂકવવામાં વિલંબ થયો હતો.
જોકે તપાસના તારણો બાદ મેયરે સંબંધિત આઉટસોર્સિંગ એજન્સીઓને કડક સૂચના આપી હતી કે એજન્સીઓએ સમયસર બિલ મૂકવા જોઈએ અને વહીવટી પ્રક્રિયામાં વિલંબ કર્યા વિના શ્રમિકોને નિયત સમયમાં પગાર ચૂકવવાની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.
સાથે જ શ્રમિકોનો જે પણ બાકી પગાર છે, તે તાત્કાલિક અસરથી આગામી બે દિવસમાં ચૂકવી દેવામાં આવે તેવો એજન્સીઓને આદેશ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, ભવિષ્યમાં શ્રમિકોને આવી કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે મેયર દ્વારા એક કાયમી વ્યવસ્થા ઊભી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
જે અંતર્ગત, કોર્પોરેશન કે એજન્સી મારફતે કામ કરતા તમામ કર્મચારીઓ અને શ્રમિકોને દર મહિનાની 10 તારીખ સુધીમાં ફરજિયાતપણે નિયમિત પગાર મળી જાય તે સુનિશ્ચિત કરવા કારોબારી ચેરમેનોને અમલવારી કરાવવા માટે ખાસ જણાવવામાં આવ્યું છે.
મેયર સમક્ષ થયેલી રજૂઆત, ત્યારબાદ કરવામાં આવેલી તપાસ અને એજન્સીઓને આપવામાં આવેલી સ્પષ્ટ સૂચનાઓને પગલે આજે સંબંધિત એજન્સીઓ દ્વારા તમામ આઉટસોર્સ કર્મચારીઓના બાકી રહેલા પગાર ચૂકવી દેવામાં આવ્યા છે.
તહેવારોના સમયમાં વહીવટી તંત્રની આ સક્રિય અને હકારાત્મક કાર્યવાહીથી શ્રમિકોને સમયસર પોતાનો પગાર મળી જતાં તેઓને મોટી રાહત મળી છે.
Related Stories · સંબંધિત સમાચાર
વિજલપોર ગણેશ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરાઈ
આગામી ગણેશોત્સવના આયોજન માટે વિજલપોર સમસ્ત ગણેશ ઉત્સવ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં નરેશ પુરોહિત પ્રમુખ બન્યા.
Read moreનવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાયો
દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા નવસારી ટાઉન હોલ ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાયો, જેની કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલએ મુલાકાત લીધી.
Read moreનવસારીમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી
ઈદે મિલાદ-ઉન-નબી નિમિત્તે નવસારી શહેરમાં ભવ્ય જુલૂસ યોજાયા, જેમાં હજારો લોકો જોડાયા અને અમન-શાંતિ, ભાઈચારો તથા કોમી એકતા માટે વિશેષ દુઆ કરવામાં આવી.
Read moreનવસારીમાં જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટની ઓફિશિયલ વિઝિટ
જેસીઆઈ નવસારી દ્વારા નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેએફએસ કૌશિક આર.ની ઓફિશિયલ વિઝિટનું આયોજન કરાયું, જેમાં વિવિધ ચેપ્ટર્સના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં જોડાયા.
Read more




