નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાયો
Assessment camp for divyangjan and elderly held at Navsari Town Hall
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલએ દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા આયોજિત એસેસમેન્ટ કેમ્પની મુલાકાત લીધી
કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા મંત્રીને કેમ્પની રૂપરેખા અને ચાલી રહેલી કામગીરીની વિગતવાર માહિતી આપવામાં આવી
નવસારી : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO), ભારત સરકારના ઉપક્રમે દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા માટે આજ રોજ નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પની આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા મંત્રીને કેમ્પની સમગ્ર રૂપરેખા, લાભાર્થીઓના રજીસ્ટ્રેશન તથા એસેસમેન્ટની પ્રક્રિયા અને ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ કેમ્પ અંતર્ગત એડીપ યોજના હેઠળ દિવ્યાંગજનોને તથા રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના (રાષ્ટ્રીય વયોશ્રી યોજના) હેઠળ વરિષ્ઠ નાગરિકોને જરૂરી સહાયક સાધનો માટે એસેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
કેમ્પમાં દિવ્યાંગજનો માટે દિવ્યાંગ પ્રમાણપત્ર/યૂડીઆઈડી કાર્ડ, વાર્ષિક આવકના આવકનો દાખલો, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબર. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આધાર કાર્ડ, વાર્ષિક આવકનો દાખલો તથા મોબાઇલ નંબર સહિતના જરૂરી દસ્તાવેજોના આધારે કામગીરી કરવામાં આવી રહી છે.
મંત્રી સી.આર.પાટીલની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા લાભાર્થીઓને યોજનાનો મહત્તમ લાભ મળી રહે તેમજ કેમ્પની કામગીરી સુચારૂ અને અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને કેમ્પનો લાભ લેવા જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. દિવ્યાંગ લાભાર્થીઓએ દિવ્યાંગ કાર્ડ/પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે.
આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નવસારી પ્રાંત અધિકારી તૃપ્તિ એમ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનરો જે.યુ. વસાવા તથા ગૌરાંગ વસાણી તેમજ સંબંધિત વહીવટી તંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ફોટો ગેલેરી
Related Stories · સંબંધિત સમાચાર
વિજલપોર ગણેશ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરાઈ
આગામી ગણેશોત્સવના આયોજન માટે વિજલપોર સમસ્ત ગણેશ ઉત્સવ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં નરેશ પુરોહિત પ્રમુખ બન્યા.
Read moreનવસારી મહાનગરપાલિકા આઉટસોર્સ કર્મચારીઓની રજૂઆત બાદ એજન્સીઓ દ્વારા બાકી પગાર ચૂકવાયા
પગાર ન મળતા આઉટસોર્સ કર્મચારીઓએ મેયર સમક્ષ રજૂઆત કર્યા બાદ એજન્સીઓને સૂચના અપાઈ અને તમામ કર્મચારીઓનો બાકી પગાર ચૂકવવામાં આવ્યો.
Read moreનવસારીમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી
ઈદે મિલાદ-ઉન-નબી નિમિત્તે નવસારી શહેરમાં ભવ્ય જુલૂસ યોજાયા, જેમાં હજારો લોકો જોડાયા અને અમન-શાંતિ, ભાઈચારો તથા કોમી એકતા માટે વિશેષ દુઆ કરવામાં આવી.
Read moreનવસારીમાં જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટની ઓફિશિયલ વિઝિટ
જેસીઆઈ નવસારી દ્વારા નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેએફએસ કૌશિક આર.ની ઓફિશિયલ વિઝિટનું આયોજન કરાયું, જેમાં વિવિધ ચેપ્ટર્સના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં જોડાયા.
Read more




