Thursday, 27 August 2026Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
મોબાઈલ :
+91 76000 00700
નવસારી

વિજલપોર ગણેશ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરાઈ

વિજલપોર ગણેશ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરાઈ

સાઉથ રિપબ્લીક ન્યૂઝThursday, 27 August 2026 1 min read · 47 min ago 0
આગામી ગણેશોત્સવના આયોજન માટે વિજલપોર સમસ્ત ગણેશ ઉત્સવ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં નરેશ પુરોહિત પ્રમુખ બન્યા.

પ્રમુખ પદે નરેશ પુરોહિત તેમજ મહામંત્રી પદે ભાવેશ પાટીલ અને લહુભાઈ કદમની વરણી કરાઈ

નવસારી : જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલના માર્ગદર્શન હેઠળ વિજલપોર સમસ્ત ગણેશ ઉત્સવ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આગામી ગણેશોત્સવ આયોજનબદ્ધ, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે ઉજવવા માટે સંગઠન દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

નવનિયુક્ત હોદ્દેદારને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવામાં આવી

જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ દ્વારા વિજલપોરના સમસ્ત ગણેશ ઉત્સવ સંગઠનના પ્રમુખ પદે નવસારી મનપાના શાસક પક્ષના નેતા નરેશભાઈ પુરોહિતની વરણી કરવામાં આવી હતી. જ્યારે ભાવેશ ઉત્તમભાઈ પાટીલ અને લહુભાઈ કદમની મહામંત્રી પદે વરણી કરવામાં આવી છે.

વિજલપોર નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી વિજલપોર વિસ્તારમાં ગણેશ ઉત્સવ સાથે સંકળાયેલી વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે ગણેશ સંગઠન કાર્યરત રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

આ તમામ મંડળો વચ્ચે સંકલન જળવાઈ રહે તેમજ ઉત્સવ દરમિયાન આયોજન અને વ્યવસ્થા વધુ સારી રીતે થઈ શકે તે માટે સંગઠનની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે.

નવા હોદ્દેદારોની વરણી બાદ ગણેશ મંડળો, આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ગણેશોત્સવને લઈને વિવિધ મંડળો સાથે બેઠકો યોજી આયોજન કરવામાં આવશે.

ગણેશજીની સ્થાપના, ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ દરમિયાન જરૂરી વ્યવસ્થા અને સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

સાથે જ નવા વરાયેલા પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂક બદલ વિજલપોરના અગ્રણીઓ, ગણેશ મંડળોના પ્રતિનિધિઓ, કાર્યકરો તથા ગણેશ ભક્તો દ્વારા શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

સંગઠનના નવા હોદ્દેદારો આગામી ગણેશોત્સવમાં તમામ મંડળોને સાથે રાખી ઉત્સવને ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવાની દિશામાં કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 51 min ago

નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાયો

દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા નવસારી ટાઉન હોલ ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાયો, જેની કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલએ મુલાકાત લીધી.

Read more
નવસારી 56 min ago

નવસારી મહાનગરપાલિકા આઉટસોર્સ કર્મચારીઓની રજૂઆત બાદ એજન્સીઓ દ્વારા બાકી પગાર ચૂકવાયા

પગાર ન મળતા આઉટસોર્સ કર્મચારીઓએ મેયર સમક્ષ રજૂઆત કર્યા બાદ એજન્સીઓને સૂચના અપાઈ અને તમામ કર્મચારીઓનો બાકી પગાર ચૂકવવામાં આવ્યો.

Read more
નવસારી 1 hr ago

નવસારીમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી

ઈદે મિલાદ-ઉન-નબી નિમિત્તે નવસારી શહેરમાં ભવ્ય જુલૂસ યોજાયા, જેમાં હજારો લોકો જોડાયા અને અમન-શાંતિ, ભાઈચારો તથા કોમી એકતા માટે વિશેષ દુઆ કરવામાં આવી.

Read more
નવસારી 1 hr ago

નવસારીમાં જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટની ઓફિશિયલ વિઝિટ

જેસીઆઈ નવસારી દ્વારા નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેએફએસ કૌશિક આર.ની ઓફિશિયલ વિઝિટનું આયોજન કરાયું, જેમાં વિવિધ ચેપ્ટર્સના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં જોડાયા.

Read more
આજનું ઈ-પેપર વાંચો