Thursday, 27 August 2026Latest News
|
Login
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
રજીસ્ટર નંબર :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
મોબાઈલ :
+91 76000 00700
નવસારી

નવસારીની શેઠ.પી.એચ. વિદ્યાલય ખાતે ગણિત-વિજ્ઞાન ઇનોવેશન એક્ઝિબિશન યોજાયું

Maths-Science innovation exhibition held at Seth P.H. Vidyalaya, Navsari

સાઉથ રિપબ્લીક ન્યૂઝThursday, 27 August 2026 1 min read · 2 hr ago 0
શેઠ.પી.એચ. વિદ્યાલય ખાતે યોજાયેલા શાળા કક્ષાના ગણિત-વિજ્ઞાન ઇનોવેશન એક્ઝિબિશનમાં આશરે 100 વિદ્યાર્થીઓએ 37 કૃતિઓ રજૂ કરી હતી.

નવસારી : નવસારી સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત શેઠ.પી.એચ. વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત પ્રત્યે રસ, રુચિ તથા સર્જનાત્મક અભિગમ વિકસે તે હેતુથી શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન ઇનોવેશન એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું.

37 કૃતિઓ | આશરે 100 વિદ્યાર્થીઓ | શાળા કક્ષાનું પ્રદર્શન

આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા કુલ 37 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં આશરે 100 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની વૈજ્ઞાનિક વિચારશક્તિ, સર્જનાત્મકતા તથા નવીન અભિગમને વિવિધ કૃતિઓના માધ્યમથી રજૂ કર્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ ભરતભાઈ નાયક, મંત્રી રોહિતભાઈ દેસાઈ તથા ટ્રસ્ટી હરીશભાઈ વશી ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રદર્શનને સફળ બનાવવા શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી. તેમજ શાળાના આચાર્ય તથા સમગ્ર શૈક્ષણિક સ્ટાફના સહયોગથી પ્રદર્શનનું સુંદર આયોજન અને સફળ સંચાલન શક્ય બન્યું હતું.

આ પ્રદર્શનમાં કૃતિઓનું મૂલ્યાંકન કરવા માટે નિર્ણાયક તરીકે મનોજભાઈ બાખરૂ, રાજેશભાઈ ધોળકિયા અને નિતીનભાઈ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિવિધ કૃતિઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત વિષય પ્રત્યે જિજ્ઞાસા, રસ, રુચિ તથા સંશોધનાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો હતો.

વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભા અને નવીન વિચારોનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર સંસ્કાર ભારતી ટ્રસ્ટ તથા શાળા પરિવાર દ્વારા પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Related Stories · સંબંધિત સમાચાર

નવસારી 2 hr ago

નવસારીમાં તહેવાર ટાણે ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટ અને માવા-મીઠાઈની દુકાનોમાં તપાસ કરાઈ

રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને ખાદ્ય સુરક્ષા વિભાગે નવસારી જિલ્લામાં 31 ખાદ્ય સંસ્થાઓની તપાસ કરી અંદાજે ₹14,618નો 57.5 કિગ્રા ખાદ્ય જથ્થો નાશ કરાવ્યો.

Read more
નવસારી 2 hr ago

નવસારીમાં પૂર્ણા નદીના પૂરથી પ્રભાવિત 500 પરિવારોને સહાય ચૂકવવા માંગ

પૂર્ણા નદીના ઘોડાપૂરથી નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોના આશરે 500 પરિવારોને થયેલા નુકસાન સામે આર્થિક સહાય વહેલી તકે ચૂકવવા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું.

Read more
નવસારી 2 hr ago

ગુજરાતની શાળા, કોલેજો, યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ ચૂકવવા માંગ

નવસારી એબીવીપીએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાકી શિષ્યવૃત્તિ તાત્કાલિક ચૂકવવા માંગ કરી

Read more
નવસારી 2 hr ago

નવસારી મનપાના 5 વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને ત્રણેક મહિનાથી પગાર ન મળતા કચેરીએ હોબાળો

આગામી રક્ષાબંધનના તહેવાર ટાણે પગાર ન થતા મનપાની કામગીરી સામે આઉટસોર્સિંગ કર્મચારીઓ રોષે ભરાયા

Read more
આજનું ઈ-પેપર વાંચો