નવસારી અને વિજલપોરમાં વાગતે-ગાજતે ગણેશજીની મૂર્તિનું આગમન
Ganesh idols arrive in Navsari and Vijalpore amid music and huge crowds
ગણેશજીની મૂર્તિનું આગમન જોવા લોકો ટોળાથી રસ્તાઓ ભરાયા
નવસારી : નવસારી અને વિજલપોરમાં ગણેશજીની મૂર્તિનું આગમન શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે ગણેશજીની મૂર્તિનું આગમન જોવા માટે રસ્તાઓ લોક ટોળાથી ઉભરાઈ રહ્યા છે.
ગણેશ ચતુર્થીમાં 10 દિવસ સુધી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જોકે ગણેશ ચતુર્થીની તહેવારની જેમ રંગે-ચંગે ઉજવણી થાય છે. આ વર્ષે આગામી 14મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે. ત્યારે ભક્તોએ 2 મહિના પૂર્વે જ ગણેશ ચર્તુથીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હાલમાં તો ઘણા બધા ગણેશ મંડળોના સભ્યોએ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવા માટે મંડપની તૈયારી આટોપી લીધી છે. અને ગણેશજીની મૂર્તિના આગમનની તૈયારી કરી રહ્યા છે. જોકે ઘણા ગણેશ મંડળો ગણેશજીની મૂર્તિનું આગમન કરી રહ્યા છે.
નવસારી અને વિજલપોરમાં ગણેશજીની મૂર્તિનું આગમન થઇ રહ્યું છે. બીજી તરફ ગણેશ મંડળો દ્વારા લોકોનું ધ્યાન ખેંચવા માટે અવનવા અવતારમાં ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે વિવિધ ગણેશ મંડળો સભ્યો ગણેશજીની મૂર્તિ વાગતે-ગાજતે લાવી રહ્યા છે. ગણેશજીની મૂર્તિના આગમન સમયે ગણેશ મંડળો દ્વારા અન્યો રાજ્ય કે જિલ્લાનું પ્રખ્યાત મસમોટું ડી.જે. તેમજ ઢોલ-નગાડા વગાડતી ટીમોને બોલાવવામાં આવે છે. અને લોકોને આકર્ષિત કરવા માટે ગણેશ મંડળો સોશ્યલ મીડિયામાં મોટી-મોટી જાહેરાતો પણ કરે છે.
નવસારી અને વિજલપોરના વિવિધ ગણેશ મંડળો પોતાના મંડપમાં સ્થાપન કરવા માટે ગણેશજીની મૂર્તિ લઈ જઈ રહ્યા છે. જે આગમન જોવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો રસ્તાની બાજુમાં ઉભા રહી ગણેશજીની મૂર્તિનું આગમન નિહાળી રહ્યા છે. તો કેટલાક ગણેશ મંડળો દ્વારા કોઈ એક જગ્યાએ લાઇટિંગ શો, ડાન્સિંગ શો તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેથી આવી જગ્યાએ મોટા પ્રમાણમાં લોકટોળું ભેગું થઈ જાય છે.
જોકે આંતરિક રસ્તાઓ ઉપર ટ્રાફિકની સમસ્યાઓ રહેતી નથી. પરંતુ મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફિકનું પ્રમાણ વધી જાય છે. એક તરફના રસ્તા પર ગણેશજીની મૂર્તિના આગમનને પગલે ટ્રાફિક રહે જ છે. પણ બીજી તરફના રસ્તા પર ઉભેલા લોકટોળાને પગલે બંને રસ્તા ઘણા સમય માટે બ્લોક થયા હોય તેમ લાગે છે. જેના પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સ્થાનિક પોલીસની ટીમ બંદોબસ્તમાં હાજર હોવાથી તેઓ ટ્રાફિકના ભારણને ઘટાડવાના પ્રયાસો કરી રહી હોય છે.
મોટી ગણેશજીની મૂર્તિ આંતરિક રસ્તા પર આવતા રાતે વીજળી ગુલ
નવસારી : નવસારી અને વિજલપોરના આંતરિક રસ્તાઓ ઉપરથી મુખ્ય વીજ લાઈન અને સ્ટ્રીટ લાઈટના વાયરો પસાર થાય છે. ત્યારે કેટલાક ગણેશ મંડળો દ્વારા વધુ ઊંચાઈ ધરાવતી ગણેશજીની મૂર્તિ લાવવામાં આવી રહી છે. જોકે ગણેશજીની મૂર્તિ રસ્તા પરથી પસાર થતા જીવંત વીજ વાયરને અડે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ગણેશ મંડળો દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓને સાથે રાખે છે.
જેથી ડીજીવીસીએલના કર્મચારીઓ જે વાયર ગણેશજીની મૂર્તિને અડતો હોય તો તે વિસ્તારોનો પાવર કાપી વાયર હટાવી ગણેશજીની મૂર્તિ આગળ લઇ જઈ રહ્યા છે. જેના પગલે રાત્રે અંદાજે 1 કલાક માટે વીજળી ગુલ થઇ જતી હોય છે.
ફોટો ગેલેરી
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




