નવસારી-વિજલપોરને મ્યુ. કમિશનર તો મળ્યા, પણ વિજલપોર હજી પણ સમસ્યાઓથી પીડાઈ રહ્યું
Navsari-Vijalpore got a Municipal Commissioner, but Vijalpore still suffers
વિજલપોરના શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ થઈ આશાપુરી મંદિર સુધીનો રસ્તો કમરના દુખાવા સમાન
વિજલપોરનો મુખ્ય રસ્તો બનાવવા મનપા શું મુહૂર્તની રાહ જોય છે ? : સ્થાનિકોમાં ચર્ચા
મ્યુ. કમિશ્નર વિજલપોરના જીવાદોરી સમાન ગણાતા મુખ્ય રસ્તાને સારો અને વ્યવસ્થિત બનાવે તેવી લોક માંગ
નવસારી : નવસારી અને વિજલપોર શહેરને એકસાથે કરી ગુજરાત સરકારે નવસારીને મહાનગરપાલિકા બનાવી દીધી છે. જેથી બંને શહેરને ઉચ્ચ કક્ષાના મ્યુ. કમિશ્નર તો મળ્યા છે. પરંતુ હજી પણ વિજલપોર શહેર વિવિધ સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. વિજલપોરના શિવાજીચોકથી શુશ્રુષા હોસ્પિટલ થઇ આશાપુરી મંદિર સુધીનો રસ્તો કમરના દુખાવા સમાન બની ગયો છે. ત્યારે મ્યુ. કમિશ્નર વિજલપોરના જીવાદોરી સમાન ગણાતા મુખ્ય રસ્તાને સારો અને વ્યવસ્થિત બનાવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
વિજલપોર શહેરમાં વિવિધ પ્રાંતો અને સમાજના લોકો વર્ષોથી રહે છે. જોકે વિજલપોર વિસ્તાર આમ તો નાનો છે. પરંતુ નાના વિસ્તારમાં એવા ઘણા લોકો રહેતા હતા. જેથી વિજલપોર વિસ્તાર માટે ડ વર્ગની નગરપાલિકા પણ કાર્યરત હતી. વિજલપોર નગરપાલિકા ડ વર્ગની નગરપાલિકા હોવા છતાં વિજલપોર વિસ્તારમાં પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે તેવી હતી. તેમજ રોજબરોજ ઉભી થતી સમસ્યાઓનો નિકાલ લાવી શકતી હતી. જેથી વિજલપોરના રહીશોને વધુ સમય સુધી સમસ્યાઓ સામે ઝઝૂમવું પડતું ન હતું.
પરંતુ સરકારે વિજલપોર નગરપાલિકા સહીત 8 ગામોને નવસારી નગરપાલિકામાં સમાવી લઈ નવસારી-વિજલપોર સંયુક્ત નગરપાલિકા બનાવી દીધી હતી. જોકે તે સમયે વિજલપોરમાં સારી સુવિધા મળશે અને વિકાસના કામો થશે તેવું રહીશોને લાગ્યું હતું. પરંતુ રહીશોની તમામ ધારણ ખોટી પડી હતી. પરિસ્થિતિ જેવી હતી તેવી જ રહી હતી. વિજલપોરમાં સારી સુવિધા અને વિકાસના કામો તો દૂર રહ્યા માત્ર નાની-નાની સમસ્યાઓનો ઉકેલ લાવી તાત્કાલિકન નવસારી-વિજલપોર પાલિકાના અધિકારીઓ સંતોષ માની રહ્યા હતા.
ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા બનવાની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે નવસારી મહાનગરપાલિકા બને તો અન્ય શહેરી વિસ્તારોની જેમ વિજલપોર વિસ્તારોમાં પણ સારા કામો થઇ શકે. જોકે સ્થાનિક રાજનેતાઓની રજૂઆતને પગલે સરકારે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દીધો હતો. જેથી સમગ્ર શહેરીજનોએ ઉજવણી કરી હતી અને સુરત સીટીની જેમ નવસારી પણ હવે સ્માર્ટ સીટી બને, લોકોને સારી સુવિધા, પાયાની સુવિધા વ્યવસ્થિત મળી રહે. નવસારી મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશ્નર આવતા તેમણે મનપા વિસ્તારમાં કામો કરવા માટેના એક્શન પ્લાન તૈયાર કરી દીધા હતા. ત્યારબાદ વિજલપોર શહેરમાં ઘણા મોટા વિકાસના કામો હાથ ધરાયા હતા.
વિજલપોર વિસ્તારની વાત કરીએ તો વિઠ્ઠલ મંદિર પાસેના રસ્તાથી લઇ શિવાજી ચોક, શુશ્રુષા હોસ્પિટલ હોસ્પિટલ પાસેથી એક તરફ આશાપુરી માતાજીના મંદિર તરફનો રસ્તો અને બીજી તરફ સાંઢકુવા તરફ જતો રસ્તો પસાર થાય છે. ચોમાસા પહેલા જ નવસારી મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. વિજલપોરના પણ ઘણા વિસ્તારોમાં નવા રસ્તાઓ અને બ્લોક પેવિંગના કામો હાથ ધરાયા હતા. જેમાં શિવાજી ચોકથી લઈ શુશ્રુષા હોસ્પિટલ થઇ આશાપુરી માતાજીના મંદિર તરફ નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ રસ્તો વિજલપોરના રહીશો માટે મુખ્ય રસ્તો રહ્યો છે. જે નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને તરફ જાય છે. જેથી આ રસ્તા પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે. પરંતુ હાલમાં આ રસ્તાની હાલત બદથી બદતર થઇ છે.
શિવાજી ચોકથી શુશ્રુષા હોસ્પિટલ થઇ આશાપુરી માતાના મંદિર તરફનો રસ્તો બનાવ્યા બાદ મનપા તંત્ર દ્વારા અડધો રસ્તો ખોદી કાઢવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ખોદેલા અડધા રસ્તામાં પુરાણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ આ રસ્તો હજી પાકો કરવામાં આવ્યો નથી. થોડા સમય પહેલા વિજલપોરમાં વરસાદ વધુ પડતા વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા સારા-સારા રસ્તાઓ ધોવાઈ જતા હોય છે તો શિવાજી ચોકથી શુશ્રુષા હોસ્પિટલ થઇ આશાપુરી માતાના મંદિર તરફ જતો અડધો રસ્તો વધુ ખરાબ થઇ ચુક્યો છે. જેથી આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે જ અકસ્માતનો પણ ભય રહે છે. બીજી તરફ ઘણી વખત ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. ત્યારે વિજલપોરના રહીશો મનપા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
ઘણો સમય વીતી ગયા છતાં મનપા તંત્ર શિવાજી ચોકથી શુશ્રુષા હોસ્પિટલ થઇ આશાપુરી માતાના મંદિર તરફનો રસ્તો બનાવવા માટે મ્યુ. કમિશનર મુહૂર્તની રાહ જોઈ રહ્યા છે તેવી ચર્ચા લોક ચર્ચા ચાલી રહી છે. ત્યારે શિવાજી ચોકથી શુશ્રુષા હોસ્પિટલ થઇ આશાપુરી માતાના મંદિર તરફનો રસ્તો નવો અને વ્યવસ્થિત બનાવવા સાથે, નવા ડિવાઈડર તેમજ નવી સ્ટ્રીટ લાઈટો લગાવવાની માંગ વિજલપોરના રહીશોમાં ઉઠી રહી છે.
ફોટો ગેલેરી
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




