નવસારીના પિનસાડ ગામે એડીપ અને વયોવૃદ્ધ યોજનાનો કેમ્પ યોજાયો
ADIP and Vayoshri scheme camp held at Pinsad village, Navsari
254 વયોવૃદ્ધ અને 12 એડીપ મળી કુલ 266 લાભાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
નવસારી : નવસારી તાલુકાના પિનસાડ ગામે દામોદરેશ્વર કોમ્યુનિટી હોલ ખાતે આજે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે એડીપ (આસિસ્ટન્ટ ટુ ડિસેબલ પર્સન) તથા વયોશ્રી યોજના અંતર્ગત લાભાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકોએ ઉપસ્થિત રહી યોજનાનો લાભ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી જરૂરી એસેસમેન્ટ કરાવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન બપોર સુધીમાં વયોશ્રી યોજનાના 254 તથા એડીપ યોજનાના 12 મળી કુલ 266 લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી એસેસમેન્ટ કરાવ્યું હતું. યોજનાકીય લાભ મેળવવા માટે જરૂરી પ્રક્રિયા લાભાર્થીઓને સરળતાથી પૂર્ણ કરી શકાય તે માટે કેમ્પ સ્થળે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
વયોશ્રી – 254 | એડીપ – 12 | કુલ – 266 લાભાર્થીઓ
આ કેમ્પના પરિણામે પિનસાડ તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને જરૂરી એસેસમેન્ટ તથા યોજનાકીય પ્રક્રિયાની સુવિધા તેમના નજીકના વિસ્તારમાં જ ઉપલબ્ધ થઈ હતી. સમગ્ર કેમ્પ દરમિયાન સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ તથા સ્વયંસેવકો દ્વારા લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.
લાભાર્થીઓને કોઈ અગવડ ન પડે અને જરૂરી સેવાઓ એક જ સ્થળે મળી રહે તે માટે કેમ્પ સ્થળે હેલ્થ ડેસ્ક, મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ, એનસીસી કેડેટ્સની ટીમ, આવકના દાખલા માટે તલાટી ટીમ, ઝેરોક્સ મશીન, અલ્પાહાર તથા ફળાહાર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નયનભાઈ પટેલ, તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો અને પિનસાડ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કરી લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમજ ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.
ફોટો ગેલેરી
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




