વલસાડમાં નોન-ઇન્ટરલોકિંગ બ્લોકને કારણે 10 ટ્રેનને અસર, હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
Valsad non-interlocking block affects 10 trains, Navsari passengers hit
21થી 23 ઓગસ્ટ દરમિયાન કેટલીક ટ્રેન રદ, જ્યારે કેટલીક શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરાઈ
નવસારી : નવસારી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વિવિધ પ્રાંતો અને સમાજોના લાખો લોકો વસે છે. તેઓ પોતાના વતન જવા માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં નોકરી કરતા અનેક યુવાનો અને યુવતીઓ પણ રોજિંદા ટ્રેનમાં અપ-ડાઉન કરે છે.
અગાઉ નવસારી રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનને સ્ટોપેજ મળતું ન હતું. પરિણામે લોકોએ પોતાના વતન જવા માટેની ટ્રેન પકડવા સુરત જવું પડતું હતું. જોકે, હવે લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓની સંખ્યા વધી હોવાથી કેટલીક ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
બીજી તરફ, નવસારી શહેરમાંથી સુરત, ભરૂચ, વલસાડ અને વાપી જેવા જિલ્લાઓમાં નોકરી માટે ઘણા યુવાનો અને યુવતીઓ રોજિંદા અપ-ડાઉન કરે છે. ટ્રેન થોડા સમય માટે પણ મોડી પડે તો મુસાફરો અટવાઈ જતા હોય છે. હાલ નવસારીમાંથી પસાર થતી 10 ટ્રેન પર અસર પડતાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ રેલવે સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેના પગલે 21થી 23 ઓગસ્ટ દરમિયાન નવસારીમાંથી પસાર થતી વિવિધ ટ્રેન પર અસર પડી છે. અમદાવાદ તરફ જતી ટ્રેન મુંબઈ અને વલસાડથી ઉપડે છે, જ્યારે મુંબઈ તરફ જતી ટ્રેન અમદાવાદ, વડોદરા અને સુરતથી ઉપડે છે. પરિણામે મુંબઈ તેમજ અમદાવાદ તરફ જતા મુસાફરોને વધુ મુશ્કેલી સહન કરવી પડી છે.
પશ્ચિમ રેલવે દ્વારા નોન-ઇન્ટરલોકિંગ કામગીરી દરમિયાન કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે.
રદ કરવામાં આવેલી ટ્રેન
22 અને 23 ઓગસ્ટે ઉધના–બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ
23 ઓગસ્ટે બાન્દ્રા ટર્મિનસ–અજમેર એક્સપ્રેસ
વલસાડ–ઉમરગામ રોડ મેમુ
વડોદરા–દહાણુ રોડ એક્સપ્રેસ
શોર્ટ ટર્મિનેટ કરવામાં આવેલી ટ્રેન
વડોદરા–વલસાડ ઇન્ટરસિટી બીલીમોરા સુધી
મુંબઈ સેન્ટ્રલ–વલસાડ પેસેન્જર પારડી સુધી
વડનગર–વલસાડ ઇન્ટરસિટી નવસારી સુધી
દાહોદ–વલસાડ ટ્રેન ઉધના સુધી
સુબેદારગંજ સ્પેશિયલ ઉધના સુધી
શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવેલી ટ્રેન
વડોદરા–વલસાડ ઇન્ટરસિટી બીલીમોરાથી
મુંબઈ સેન્ટ્રલ–વલસાડ પેસેન્જર ઉદવાડાથી
વડનગર–વલસાડ ઇન્ટરસિટી નવસારીથી
દાહોદ–વલસાડ ટ્રેન ઉધનાથી
સુબેદારગંજ સ્પેશિયલ ઉધનાથી
વલસાડ–વડનગર ઇન્ટરસિટી નવસારી સુધી દોડાવીને નવસારીથી જ ઉપાડવામાં આવનાર હોવાથી અમદાવાદ અને મહેસાણા તરફ જતા મુસાફરો તેમજ આ ટ્રેનમાં મુસાફરી કરતા નોકરિયાત વર્ગને રાહત રહેશે.
બીજી તરફ, અંદાજે છ ટ્રેન નવસારી સુધી પહોંચ્યા વિના જ ઉધના અથવા ભેસ્તાનથી પરત ફરી જશે. તેના કારણે ખાસ કરીને મુંબઈ તરફ જતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
મુસાફરોને મુસાફરી શરૂ કરતાં પહેલાં ટ્રેનની હાલની સ્થિતિ અને સમયની સત્તાવાર માધ્યમથી તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે.
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




